AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભીમવરમમાં અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કર્યું, કહ્યું- હું તેમને નમન કરું છું

પીએમ મોદીએ કહ્યું કે આજે એક તરફ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરવા માટે અમૃત મહોત્સવની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યું છે તો બીજી તરફ અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિનો અવસર પણ સાથે છે.

PM નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભીમવરમમાં અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કર્યું, કહ્યું- હું તેમને નમન કરું છું
PM Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 12:25 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) સોમવારે આંધ્રપ્રદેશના ભીમવરમમાં સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે એક તરફ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરવા માટે અમૃત મહોત્સવની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યું છે તો બીજી તરફ અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિનો અવસર પણ સાથે છે. તેમણે કહ્યું કે અલ્લુરી સીતારામ રાજુ ગરુ ભારતની સાંસ્કૃતિક અને આદિવાસી ઓળખના પ્રતિક તેમજ દેશની બહાદુરી, આદર્શો અને મૂલ્યોનું પ્રતિક છે.

સોમવારે ટ્વિટ કરીને પીએમ મોદીએ માહિતી આપી હતી કે તેઓ ભીમવરમ જવા રવાના થયા છે. હૈદરાબાદથી વિશેષ ફ્લાઇટ દ્વારા તેઓ સવારે 10:10 વાગ્યે ગન્નવરમ સ્થિત વિજયવાડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. રાજ્યના રાજ્યપાલ બિસ્વા ભૂષણ હરિચંદન અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી તેમનું સ્વાગત કરશે.

PM મોદીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું, હું આજે ભીમવરમમાં એક ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નીકળ્યો છું. આ વિશેષ કાર્યક્રમ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિની ઉજવણી છે. આ દરમિયાન હું સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ પણ કરીશ. તેનાથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં વધારો થશે. આ સાથે વડાપ્રધાન મોદી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સીતારામ રાજુની 125મી જન્મજયંતિ પર આયોજિત જનસભાને પણ સંબોધિત કરશે. તેઓ બપોરે 1.05 કલાકે વિજયવાડા એરપોર્ટ પરત ફરશે અને અમદાવાદ જવા રવાના થશે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે આંધ્રપ્રદેશની મુલાકાત માટે ભીમવરમ અને ગન્નવરમમાં લગભગ ત્રણ હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ભીમવરમમાં શનિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વડાપ્રધાનની મુલાકાતની તૈયારીઓ ખોરવાઈ ગઈ છે. વડાપ્રધાન મોદીની જાહેરસભા પેદામીરામ મેદાનમાં યોજાવાની હતી, પરંતુ ત્યાં પણ કાદવ કીચડ હતો. DGP એ ભીમવરમમાં ટોચના પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સુરક્ષા અંગે સૂચનાઓ આપી હતી.

g clip-path="url(#clip0_868_265)">