શું કોરોનાએ ફરી વધારી ચિંતા ? ભારતમાં વધતા કેસને લઈને PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક

વડાપ્રધાન મોદી આજે કોરોના અને લોકોના સ્વાસ્થ્યને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન મોસમી રોગો પણ જોર પકડી રહ્યા છે.

શું કોરોનાએ ફરી વધારી ચિંતા ? ભારતમાં વધતા કેસને લઈને PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક
PM Modi will hold high level meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 4:09 PM

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય H3N2 વાયરસ પણ દેશને ઘેરી રહ્યો છે. આ વાયરસના કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. ICMRએ આ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ત્યારે આ મામલે પીએમ મોદી આજે આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. PM આજે સાંજે 4.30 વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોનાના વધી રહેલા કેસોને લઈને બેઠક કરશે.

લાંબા સમયબાદ હજાર કરતા વધુ કેસ નોંધાયા !

આજે પણ ભારતમાં કોવિડ 19ના 1134 કેસ નોંધાયા છે. ઘણા દિવસો પછી એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. બીજી ખાસ વાત એ છે કે આ દિવસે ત્રણ વર્ષ પહેલા એટલે કે 2020માં કોરોના ભયંકર રૂપ ધારણ કરી રહ્યો હતો અને PMએ જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. આ પછી જ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ભારતમાં કોરોનાના કેસ વધીને 7,026 થઈ ગયા છે.

દેશના આ રાજ્યમાં વધ્યા કેસ

દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ જેવા દેશના કેટલાક રાજ્યોમાં કેસ વધી રહ્યા છે. જો કે, ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આ વધારો નજીવો છે. પરંતુ તેને હળવાશથી પણ ન લઈ શકાય. કારણ કે હવામાન બદલાઈ રહ્યું છે. બે દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે. જેના કારણે લોકો વધુ બીમાર પડી રહ્યા છે. જો આવી સ્થિતિમાં કોરોના પગ ફેલાવે છે તો સ્થિતિ ગંભીર બની શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આરોગ્ય મંત્રાલયના આંકડા શું કહે છે?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં દૈનિક પોઝિટિવ દર 1.09 ટકા છે અને સાપ્તાહિક સકારાત્મક દર 0.98 ટકા છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.79 ટકા થઈ ગયો છે. જ્યારે મૃત્યુ દર 1.19 ટકા પર યથાવત છે. તે જ સમયે, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.01 ટકાનો સમાવેશ થાય છે. મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના લગભગ 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી

મંગળવારે દેશમાં કોરોનાના 699 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 2 લોકોના મોત થયા છે. એટલે કે મંગળવારની સરખામણીમાં બુધવારે દેશમાં કોરોનાના વધુ 435 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 662 લોકોએ કોરોનાને હરાવી છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 7026 થઈ ગઈ છે. આ રીતે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 466 નો વધારો નોંધવામાં આવ્યો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">