વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કર્ણાટકના હુબલીમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘટાન કર્યુ. આ દરમિયાન તેમને કહ્યું કે કર્ણાટક જ્ઞાન અને કલાનું કેન્દ્ર છે. કર્ણાટક સંગીતની મહાન વિભૂતીઓની જન્મભૂમિ છે. તેમને કહ્યું કે યુવાનોને પોતાના કર્તવ્યને સમજતા દેશને આગળ વધારવાનો છે. સ્વામી વિવેકાનંદ યુવાઓ માટે પ્રેરણા છે.
In every part of India, there is unbelievable number of examples of talent & capability of our youth. Even today, from Maths to Science, when competitions take place on global platforms the talent of Indian youth amazes the world: PM at National Youth Festival in Hubbali, K’taka pic.twitter.com/N3QVuH4EF9
— ANI (@ANI) January 12, 2023
વડાપ્રધાને કહ્યું કે દેશ નવા સંકલ્પોની સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું ભારત યુવાઓનો દેશ છે. દુનિયાના મુકાબલે હિન્દુસ્તાનમાં સૌથી વધારે યુવાનો છે. તેમને કહ્યું કે આજે જ્યારે દુનિયા ભારત પાસે એટલી અપેક્ષા જોઈ રહ્યું છે, તેની પાછળ કારણ છે. આજે ભારત દુનિયાની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા છે. મારૂ લક્ષ્ય છે કે તેને ત્રીજા નંબર પર લઈ જવું.
આ પણ વાંચો : જોશીમઠની સ્થિતિની સમીક્ષા કરવા ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી, તમામ શક્ય મદદની ખાતરી આપી
તેમને કહ્યું કે આપણે કૃષિના ક્ષેત્રમાં પણ આગળ છીએ. રમતના ક્ષેત્રમાં પણ ભારત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ગામ હોય કે શહેર દરેક બાજુ યુવાનોનો જુસ્સો વધી રહ્યો છે. તેમને કહ્યું કે આજે તમે આ ફેરફારના સાક્ષી બની રહ્યા છો અને પછી તમે આ ફેરફારોના લીડર બનશો. તેમને કહ્યું કે ભારતે રાષ્ટ્રશક્તિને વધારવાનું કામ કર્યુ છે.
વડાપ્રધાન મોદી ભારતની નારીશક્તિને લઈને પણ વાત કરી. તેમને કહ્યું ભારતની દીકરીઓ આજે દરેક ઊંચાઈને સ્પર્શી રહી છે. તેમને કહ્યું કે ભારત પુરી શક્તિ સાથે પોતાના લક્ષ્ય તરફ વધી રહ્યા છે.
હુબલીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ એક યુવક હાથમાં માળા લઈ વડાપ્રધાન મોદીની નજીક પહોંચી ગયો. આ યુવક વડાપ્રધાનને માળા પહેરાવવા ઈચ્છતો હતો, તે પહેલા જ તેને સુરક્ષા કમાન્ડરોએ હટાવી લીધો હતો. જો કે વડાપ્રધાને આ દરમિયાન યુવકના હાથમાંથી માળા લઈ લીધી અને પોતાની ગાડીમાં અન્ય જવાનના હાથમાં આપી દીધી હતી.