પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, NDA નેતાઓ પણ રહ્યા હાજર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વિટ કર્યું હતું કે હું અટલજીની પુણ્યતિથિ પર દેશની 140 કરોડ જનતા સાથે નમન કરું છું. તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો, તેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને 21મી સદીના ભારતનો પાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, NDA નેતાઓ પણ રહ્યા હાજર
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 8:31 AM

PM Atal Bihari Vajpayee: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિના અવસરે બુધવારે 16 ઓગસ્ટ દેશ તેમને સલામ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય તમામ નેતાઓએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી છે. તેની સાથે જ દિલ્હીમાં અટલ સમાધિ સ્થળ પર કેન્દ્રીય મંત્રીઓ, બીજેપી નેતાઓ અને એનડીએ નેતાઓનો મેળાવડો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય નેતાઓ, અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યો બુધવારે સવારે અટલ સમાધિ સ્થળ પર હાજર રહ્યા હતા. અહીં પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વિટ કર્યું હતું કે હું અટલજીની પુણ્યતિથિ પર દેશની 140 કરોડ જનતા સાથે નમન કરું છું. તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો, તેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને 21મી સદીના ભારતનો પાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

એનડીએના નેતાઓ પણ રહ્યા હાજર

અટલ બિહારી વાજપેયીની 5મી પુણ્યતિથિના અવસર પર અટલ સમાધિ પર હંમેશા માત્ર ભાજપ જ નહીં પરંતુ એનડીએના નેતાઓનો પણ મેળાવડો રહે છે. અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, થમ્બીદુરાઈ, જીતન રામ માંઝી, સુદેશ મહતો અને અગાથા સંગામા સહિતના અન્ય નેતાઓ અહીં પહોંચ્યા છે અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 2024ની ચૂંટણી પહેલા એનડીએની એકતા દરેક મંચ પર દેખાય છે, પછી તે સંસદ હોય કે હંમેશા અટલ, એનડીએની રણનીતિ મૂળરૂપે અટલ બિહારી વાજપેયી દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

અટલજીએ 3 વખત લીધા વડાપ્રધાનના સપથ

જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની વયે નિધન થયું હતું, તેઓ ઘણા સમયથી બીમાર હતા. અટલ બિહારી વાજપેયીએ 1998 થી 2004 સુધી ત્રણ વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા, તેમણે વડા પ્રધાન તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. અટલ બિહારી વાજપેયીને ભાજપના સર્વોચ્ચ નેતાઓમાંના એક માનવામાં આવે છે, જેમના નેતૃત્વમાં ભાજપનો ઉદય થયો અને તેની સત્તા સુધીની સફર નક્કી થઈ.

અટલ બિહારી વાજપેયી 3 વખત દેશના વડાપ્રધાન બન્યા, તેઓ 9 વખત લોકસભાના સાંસદ જ્યારે 2 વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. સૌથી પહેલા અટલ બિહારી વાજપેયી 1996માં 13 દિવસ, 1998માં 13 મહિના અને પછી 1999માં 5 વર્ષ માટે દેશના વડાપ્રધાન રહ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">