પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, NDA નેતાઓ પણ રહ્યા હાજર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વિટ કર્યું હતું કે હું અટલજીની પુણ્યતિથિ પર દેશની 140 કરોડ જનતા સાથે નમન કરું છું. તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો, તેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને 21મી સદીના ભારતનો પાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, NDA નેતાઓ પણ રહ્યા હાજર
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 8:31 AM

PM Atal Bihari Vajpayee: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિના અવસરે બુધવારે 16 ઓગસ્ટ દેશ તેમને સલામ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય તમામ નેતાઓએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી છે. તેની સાથે જ દિલ્હીમાં અટલ સમાધિ સ્થળ પર કેન્દ્રીય મંત્રીઓ, બીજેપી નેતાઓ અને એનડીએ નેતાઓનો મેળાવડો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય નેતાઓ, અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યો બુધવારે સવારે અટલ સમાધિ સ્થળ પર હાજર રહ્યા હતા. અહીં પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વિટ કર્યું હતું કે હું અટલજીની પુણ્યતિથિ પર દેશની 140 કરોડ જનતા સાથે નમન કરું છું. તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો, તેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને 21મી સદીના ભારતનો પાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

એનડીએના નેતાઓ પણ રહ્યા હાજર

અટલ બિહારી વાજપેયીની 5મી પુણ્યતિથિના અવસર પર અટલ સમાધિ પર હંમેશા માત્ર ભાજપ જ નહીં પરંતુ એનડીએના નેતાઓનો પણ મેળાવડો રહે છે. અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, થમ્બીદુરાઈ, જીતન રામ માંઝી, સુદેશ મહતો અને અગાથા સંગામા સહિતના અન્ય નેતાઓ અહીં પહોંચ્યા છે અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 2024ની ચૂંટણી પહેલા એનડીએની એકતા દરેક મંચ પર દેખાય છે, પછી તે સંસદ હોય કે હંમેશા અટલ, એનડીએની રણનીતિ મૂળરૂપે અટલ બિહારી વાજપેયી દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

અટલજીએ 3 વખત લીધા વડાપ્રધાનના સપથ

જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની વયે નિધન થયું હતું, તેઓ ઘણા સમયથી બીમાર હતા. અટલ બિહારી વાજપેયીએ 1998 થી 2004 સુધી ત્રણ વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા, તેમણે વડા પ્રધાન તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. અટલ બિહારી વાજપેયીને ભાજપના સર્વોચ્ચ નેતાઓમાંના એક માનવામાં આવે છે, જેમના નેતૃત્વમાં ભાજપનો ઉદય થયો અને તેની સત્તા સુધીની સફર નક્કી થઈ.

અટલ બિહારી વાજપેયી 3 વખત દેશના વડાપ્રધાન બન્યા, તેઓ 9 વખત લોકસભાના સાંસદ જ્યારે 2 વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. સૌથી પહેલા અટલ બિહારી વાજપેયી 1996માં 13 દિવસ, 1998માં 13 મહિના અને પછી 1999માં 5 વર્ષ માટે દેશના વડાપ્રધાન રહ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">