G-7 સમિટ: PM એ જર્મનીમાં કહ્યું ઈમરજન્સી લોકતંત્ર પર કાળો ડાઘ, લોકશાહીને કચડવાની કોશિશ થઈ

દેશની જનતાએ તેને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકશાહી ઢબે જવાબ આપ્યો હતો. આપ્યું. પીએમ મોદી(PM Narendra Modi) G-7માં ભાગ લેવા માટે જર્મનીની મુલાકાતે છે. અહીં તેમણે ઓડી ડોમ સ્ટેડિયમમાં પ્રવાસી ભારતીયઓને સંબોધિત કર્યા હતા.

G-7 સમિટ: PM એ જર્મનીમાં કહ્યું ઈમરજન્સી લોકતંત્ર પર કાળો ડાઘ, લોકશાહીને કચડવાની કોશિશ થઈ
PM Narendra Modi in GermanyImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 11:53 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ 1975ની કટોકટીને ભારતના જીવંત લોકતંત્ર પર કાળો ડાઘ ગણાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે કોંગ્રેસ (Congress)પર નિશાન સાધતા કહ્યું કે લોકશાહી દરેક ભારતીયના ડીએનએમાં હોય છે અને 47 વર્ષ પહેલા લોકશાહીને બાનમાં લઈને તેને કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ દેશની જનતાએ તેને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકશાહી ઢબે જવાબ આપ્યો હતો. પીએમ મોદી G-7માં ભાગ લેવા માટે જર્મનીની મુલાકાતે છે. અહીં તેમણે ઓડી ડોમ સ્ટેડિયમમાં પ્રવાસી ભારતીઓને સંબોધિત કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતીયો જ્યાં પણ રહીએ છીએ, અમને અમારી લોકશાહી પર ગર્વ છે. તેમણે કહ્યું કે, આજે 26 જૂન છે. 47 વર્ષ પહેલા લોકશાહીને બંધક બનાવીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો. કટોકટી એ ભારતના જીવંત લોકશાહી પરનો કાળો ડાઘ છે. 25 જૂન 1975ના રોજ તત્કાલિન પીએમ ઈન્દિરા ગાંધી દ્વારા ભારતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તેને 21 માર્ચ 1977 ના રોજ દૂર કરવામાં આવી હતી.

પીએમ મોદીએ 30 મિનિટ સુધી ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતની જનતાએ લોકશાહીને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકતાંત્રિક જવાબ આપ્યો. મોદીએ કહ્યું કે ભારતીયોને તેમની લોકશાહી પર ગર્વ છે. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારત લોકશાહીની માતા છે. સંસ્કૃતિ, ખોરાક, વસ્ત્રો, સંગીત અને પરંપરાઓની વિવિધતા આપણી લોકશાહીને જીવંત બનાવે છે. ભારતે બતાવ્યું છે કે લોકશાહી ઉદ્ધાર કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

એટલું જ નહીં પીએમ મોદીએ મન કી બાત દરમિયાન ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, વિશ્વના અન્ય દેશોમાં આવા ઉદાહરણો ભાગ્યે જ જોવા મળે છે, જ્યાં લોકોએ તાનાશાહી માનસિકતાને લોકતાંત્રિક માધ્યમથી હરાવી હોય.

મ્યુનિકમાં ભારતીય સમુદાયને સંબોધતા, મોદીએ ભારતની સફળતાની વાર્તાને પ્રોત્સાહન આપવા અને ભારતની સફળતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરવામાં પ્રવાસી ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી. આટલું જ નહીં, પીએમ મોદીએ ભારતના વિકાસની સાથે-સાથે ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં અને યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો.

પીએમએ કહ્યું કે, ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપી રહ્યું છે. તેમણે કહ્યું, સિદ્ધિઓની આ યાદી ઘણી લાંબી છે. જો હું વાત ચાલુ રાખું તો તામારા ડિનરનો ટાઈમ થઈ જશે. જ્યારે કોઈ દેશ સાચા ઈરાદા સાથે સમયસર યોગ્ય નિર્ણયો લે છે, ત્યારે તેનો વિકાસ નિશ્ચિત છે.

આ ઉપારાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જર્મનીમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત વિશે જાણકારી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે. બંને દેશોના નેતાઓએ વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી.

ભારત ઉપરાંત આ દેશોને પણ આમંત્રણ

ભારત ઉપરાંત G-7 સમિટના યજમાન જર્મનીએ આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકાને હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. ભારત-આર્જેન્ટિના સંબંધો 2019 થી વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધો વર્ષોથી મજબૂત થયા છે અને તેમાં રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગનો સમાવેશ થાય છે.

આર્જેન્ટિનામાં 2600 NRI

ભારતે સૌપ્રથમ 1943માં બ્યુનોસ આયર્સમાં વેપાર કમિશન ખોલ્યું હતું, જેને 1949માં દક્ષિણ અમેરિકાના આર્જેન્ટીનામાં ભારતીય દૂતાવાસમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. આર્જેન્ટિનામાં લગભગ 2,600 NRI/PIO છે. તેમાંથી મોટાભાગના ભારતીયો આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં રહે છે.

G-7 સમિટમાં પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે રવિવારે જર્મનીની બે દિવસીય મુલાકાતે છે. તેઓ G-7 અને તેના સહયોગી દેશોના નેતાઓ સાથે ઊર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ વિરોધી, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

PM 28 જૂને UAEની મુલાકાત લેશે

G7 શિખર સંમેલનમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન 28 જૂન, 2022ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લેશે. PM મોદી UAEના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શોક વ્યક્ત કરવા માટે મુલાકાત લેશે. આપને જણાવી દઈએ કે શેખ ખલીફાનું ગત મહિનાની 13 તારીખે અવસાન થયું હતું.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">