8 Years of Modi Government: વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક, કલમ 370, રસીકરણ સહિત તેમના 8 વર્ષની સરકારની સિદ્ધિઓ ગણાવી
પીએમ મોદીએ (PM Modi) 26 મે 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે બીજી વખત તેમણે 30 મે 2019ના રોજ શપથ લીધા હતા. આજે પીએમએ ટ્વિટર પર તેમની 8 વર્ષની સરકારની શ્રેણીબદ્ધ ઉપલબ્ધિઓની તસવીર શેર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે (Central Government) આઠ વર્ષ પૂર્ણ કર્યા છે. આઠ વર્ષ પૂરા થતાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે બીજી વખત તેમણે 30 મે 2019ના રોજ શપથ લીધા હતા. આજે પીએમએ ટ્વિટર પર તેમની 8 વર્ષની સરકારની શ્રેણીબદ્ધ ઉપલબ્ધિઓની તસવીર શેર કરી છે. જેમાં તેમણે કહ્યું હતું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રથી પ્રેરિત થઈને અમારી સરકારે ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને મદદ કરતા લોકલક્ષી શાસનને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયાસો કર્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે વસુધૈવ કુટુંબકમના વિચારને સમર્થન આપતાં ભારત દરેકને સાથે લઈને ચાલવામાં માને છે. ભારત વિશ્વને એક પરિવાર માને છે અને સમગ્ર વિશ્વના કલ્યાણની ઈચ્છા રાખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે તેમની સરકારના આઠ વર્ષ લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહ્યાં છે અને આ દરમિયાન અમારો સંકલ્પ છે – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ.
Upholding the idea of ‘Vasudhaiva Kutumbakam’, ~ India believes in taking everyone along ~ India believes in treating the world as a family ~ India wishes for the well-being of the entire world #8YearsOfSushasan pic.twitter.com/OlM0zng9BK
— MyGovIndia (@mygovindia) June 4, 2022
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ આ સરકારનો આત્મા છે
પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક પત્રકાર પરિષદને સંબોધતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ આ સરકારનો આત્મા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારે છેલ્લા આઠ વર્ષમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે દેશમાં વિશ્વાસ જગાડ્યો છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સબકા સાથ, સબકા વિકાસના મંત્ર મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ગામ, ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનોના હિત માટે કોઈપણ જાતના ભેદભાવ વિના કરાયેલું કામ 135 કરોડ દેશવાસીઓના જીવનમાં મોટા પાયે પરિવર્તનનું પરિબળ બની ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું તે કર્યું: CM યોગી
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂરા થવા પર રાજ્ય ભાજપના મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં અવિશ્વાસનું વાતાવરણ હતું. તેમણે આરોપ લગાવ્યો કે દેશના વિવિધ વિસ્તારોમાં અલગતાવાદ, ઉગ્રવાદ અને આતંકવાદ વધી રહ્યો હતો, અરાજકતા તેની પરાકાષ્ઠા તરફ હતી. તેમણે કહ્યું કે દાયકાઓથી ગરીબી હટાવવાના નારા લગાવવામાં આવી રહ્યા હતા, પરંતુ 35-40 વર્ષમાં કોઈ નક્કર પ્રયાસો જોવા મળ્યા નથી. તેમણે કહ્યું કે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું તે કર્યું છે, પરંતુ દરેક યોજના વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રીય જીવનમાં આત્મનિર્ભરતાનું પરિબળ બની છે.