PM Modi એ અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટ જોઈ પૂર્ણ થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી
અયોધ્યામાં (Ayodhya) વૈદિક શહેર અને 1200 એકર જમીનમાં 84 કોસના સાંસ્કૃતિક રીતે વિકાસ માટે બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં આજે અયોધ્યા વિકાસ યોજના અંગે સમીક્ષા બેઠક મળી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી (CM Yogi) આદિત્યનાથ પણ હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ અયોધ્યાના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી અને વિઝન ડોક્યુમેન્ટ (Ayodhya Vision Document) પણ જોવામાં આવ્યું.
લગભગ દોઢ કલાક ચાલેલી બેઠકમાં પીએમ મોદીએ અયોધ્યાના વિઝન દસ્તાવેજ જોયા. આ બેઠકમાં સીએમ યોગી અને ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય (UP Deputy CM Keshav Prasad Maurya) સહિતના અન્ય અધિકારીઓ પણ હાજર હતા. આ દરમિયાન હાઉસિંગ ડેવલપમેન્ટના ચીફ સેક્રેટરીએ પીએમ સમક્ષ અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. વડાપ્રધાનને અત્યાર સુધીમાં કેટલું કામ પૂર્ણ થયું છે અને હજુ કેટલું કામ કરવાનું બાકી છે તેની જાણકારી આપવામાં આવી હતી.
આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (UP Assembly Election) ધ્યાનમાં રાખીને યુપી હાલ ફોકસમાં છે. અયોધ્યામાં 1200 એકર જમીનમાં વૈદિક શહેર અને 84 કોસના સાંસ્કૃતિક રીતે વિકાસ માટે બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી રહી છે.
પીએમ મોદી પોતે આ કામની દેખરેખ રાખી રહ્યા છે, જેથી રામ નગરીના વિકાસમાં કોઈ ભૂલ ન થાય. ફેબ્રુઆરી માસથી સલાહકાર એજન્સી અયોધ્યામાં વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ દસ્તાવેજ માટે અત્યાર સુધીમાં લગભગ 500 લોકોની સલાહ લેવામાં આવી છે. જેથી રામ નગરીનો વિકાસ સારી રીતે થઈ શકે. અયોધ્યાના સંતો, રામ જન્મભૂમિ ટ્રસ્ટ, સાંસદો, ધારાસભ્યો સહિત ઘણા લોકોના સૂચનો લેવામાં આવ્યા છે.
સરકાર અયોધ્યાની આસપાસના સ્થળોના વિકાસ પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. તે એક પ્રયાસ છે કે અયોધ્યાને આધુનિક બનાવવાની સાથે સાથે તેનું જૂનું સ્વરૂપ પણ અકબંધ રહેવું જોઈએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
લગભગ 20 હજાર કરોડ રૂપિયા અયોધ્યાની ભવ્યતા પાછળ ખર્ચ થશે. અયોધ્યાને આધુનિક પર્યટન સ્થળ બનાવવાની સાથે લોકોને નોકરી-રોજગાર પણ મળશે. તેને ધ્યાનમાં રાખીને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખુદ પીએમ મોદી આ તૈયારીઓની સમીક્ષા કરવા જઇ રહ્યા છે.