AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાલવાટિકામાં બાળકોની વચ્ચે પહોંચ્યા PM મોદી, બાળકોને પૂછ્યુ મોદીજીને ઓળખો છો? મળ્યો આ જવાબ, જુઓ VIDEO

ટ્વિટર પર બાલવાટિકાનો વીડિયો શેર કરતા પીએમ મોદીએ લખ્યું, 'માસૂમ બાળકો સાથે આનંદની કેટલીક પળો! તેમની ઉર્જા અને ઉત્સાહ મનને ઉત્સાહથી ભરી દે છે.

બાલવાટિકામાં બાળકોની વચ્ચે પહોંચ્યા PM મોદી, બાળકોને પૂછ્યુ મોદીજીને ઓળખો છો? મળ્યો આ જવાબ, જુઓ VIDEO
PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 6:28 PM
Share

Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે દિલ્હીના પ્રગતિ મેદાન પહોંચ્યા હતા. જ્યાં, નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ની શરૂઆતના 3 વર્ષ પૂર્ણ થવા પર અખિલ ભારતીય શિક્ષણ પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના ઉદઘાટન પહેલા પીએમ મોદી પરિસરમાં બનેલ બાલવાટિકા પહોંચ્યા હતા અને માસૂમ બાળકો સાથે લાંબો સમય પસાર કર્યો હતો. પીએમ મોદીએ બાલ વાટિકામાં નાના બાળકો સાથે મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં વાટિકાના નાના બાળકો વડાપ્રધાનને મોદી-મોદીજીને બોલાવતા જોવા મળે છે.

(Credit- narendramodi twitter) 

ટ્વિટર પર બાલવાટિકાનો વીડિયો શેર કરતા પીએમ મોદીએ લખ્યું, ‘માસૂમ બાળકો સાથે આનંદની કેટલીક પળો! તેમની ઉર્જા અને ઉત્સાહ મનને ઉત્સાહથી ભરી દે છે. વીડિયોમાં જોવા મળે છે કે પીએમ મોદી બાલ વાટિકામાં પ્રવેશતા જ તમામ બાળકો નમસ્તે મોદી જી, નમસ્તે મોદી જી કહેવા લાગ્યા. આ પછી પીએમ મોદી તેમની પાસે જાય છે અને તેમની સાથે વાત કરવાનું શરૂ કરે છે. પીએમએ બાળકોને પૂછ્યું શું તમે મોદીજીને ઓળખો છો?

આ પણ વાંચો: રાજસ્થાનમાં ધોધમાર વરસાદ, રણપ્રદેશ બન્યો જળમગ્ન, જાણો અન્ય રાજ્યોમાં વરસાદની સ્થિતિ, જુઓ Video

થોડી જ વારમાં એક બાળક કહે છે કે મોદીજી, અમે તમને ટીવી પર જોયા છે. ત્યારે પીએમ મોદીએ પૂછ્યું કે હું ટીવી પર શું કરતો હતો? ત્યાં સુધી બાળક કંઈક બીજું બોલવાનું શરૂ કરે છે. એક મિનિટના વીડિયોમાં બાળકો પણ પીએમ મોદીની પેટીંગ બતાવતા જોવા મળે છે. આ દરમિયાન પીએમ મોદી પણ બાળકોને સવાલ અને જવાબ આપતા જોવા મળે છે.

જણાવી દઈએ કે નવી શિક્ષણ નીતિ હેઠળ બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશતા પહેલા એક વર્ષ માટે બાલ વાટિકામાં મોકલવામાં આવે છે. બાલવાટિકા એક શાળા જેવી છે, પરંતુ અહીં બાળકોને એવા વાતાવરણમાં ઘડવામાં આવે છે કે જ્યારે તેમનું પ્રથમ વર્ગમાં પ્રવેશ થાય છે, ત્યારે તેમના મન પર બહુ તણાવ ન રહે. બાલવાટિકામાં તેમના અભ્યાસથી લઈને રમવા સુધીની સંપૂર્ણ વ્યવસ્થા છે.

શાળાઓ અથવા આંગણવાણી કેન્દ્રોમાં બાલવાટિકા સ્થાપવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય બાળકોનું સારું સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવાનો, બાળકોને અસરકારક સંવાદક બનાવવાનો અને તેમનામાં ભણતર પ્રત્યેના ઉત્સાહને જાગૃત કરવાનો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">