PM મોદીએ Visva Bharatiના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા, કહ્યું નિર્ણય લેવામાં ડરશો નહીં

પીએમ મોદીએ  ​​વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વ ભારતીના દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે Visva Bharati  યુનિવર્સિટી માત્ર જ્ઞાન આપતી સંસ્થા નથી,

PM મોદીએ Visva Bharatiના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા, કહ્યું નિર્ણય લેવામાં ડરશો નહીં
PM Modi (File Image)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 19, 2021 | 5:57 PM

પીએમ મોદીએ  ​​વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વ ભારતીના દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે Visva Bharati  યુનિવર્સિટી માત્ર જ્ઞાન આપતી સંસ્થા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનું સર્વોચ્ચ લક્ષ્ય હાંસલ કરવાનો એક પ્રયાસ છે. Visva Bharatiના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ યુનિવર્સિટી માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી. પરંતુ ભારત અને ભારતીયતાના દૃષ્ટિકોણથી આખી દુનિયાને જોવાની પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે આ સંસ્થા જ્ઞાનનો મુક્ત સમુદ્ર છે, જેનો પાયો અનુભવ આધારિત શિક્ષણ માટે મૂકવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્ઞાન, વિચારો અને કુશળતા પથ્થરોની જેમ નથી હોતા તે એક સતત પ્રક્રિયા છે. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં  ભારતના જ્ઞાન અને તેની પરંપરાને વિશ્વના દરેક ખૂણામાં પહોંચાડવામાં વિશ્વ ભારતીની મોટી ભૂમિકા છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને હાકલ કરી હતી કે આ વર્ષે આપણે આપણી આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. વિશ્વ ભારતીના દરેક વિદ્યાર્થી વતી દેશની સૌથી મોટી ભેટ ભારતની છબીને ઉભરવા માટે વધુને વધુ લોકોને જાગૃત કરે તે છે. તેમણે કહ્યું કે મારી વિનંતી છે કે આગામી 25 વર્ષ સુધી વિશ્વ ભારતીના વિદ્યાર્થીઓએ સાથે મળીને વિઝન ડોક્યુમેન્ટ બનાવવું જોઈએ. વર્ષ 2047માં જ્યારે ભારત તેની સ્વતંત્રતાના 100 વર્ષ ઉજવે, ત્યારે વિશ્વ ભારતીના 25 સૌથી મોટા લક્ષ્યો શું હશે આ આ દ્રષ્ટિ દસ્તાવેજમાં રાખી શકાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તમારું જ્ઞાન ફક્ત તમારું જ નથી, પરંતુ તે રાષ્ટ્રનું ભાવિ પણ નક્કી કરે છે. તમારું જ્ઞાન, સમાજ, રાષ્ટ્રનું નિર્માણ કરે છે. જો તમારો હેતુ સ્પષ્ટ છે અને મા ભારતી પ્રત્યેની તમારી નિષ્ઠા છે તો તમારો દરેક નિર્ણય સમાધાન તરફ આગળ વધશે. તમે વિચારેલા પરિણામો તમને નહીં મળે, પરંતુ તમારે નિર્ણય લેવામાં ડરવું જોઈએ નહીં.

નવી શિક્ષણ નીતિ અંગે પીએમ મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા બતાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. આ શિક્ષણ નીતિ તમને તમારી ભાષામાં વિવિધ વિષયો વાંચવાની સ્વતંત્રતા આપે છે. આ શિક્ષણ નીતિ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. આ શિક્ષા નીતિએ સ્વનિર્ભર ભારતના નિર્માણમાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે.

નોંધપાત્ર વાત એ છે કે વિશ્વ ભારતીની સ્થાપના ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા 1921માં કરવામાં આવી હતી. તે દેશની સૌથી પ્રાચીન સેન્ટ્રલ યુનિવર્સિટી છે. મે 1951માં સંસદના અધિનિયમ દ્વારા વિશ્વ ભારતીને સેન્ટ્રલ યુનિવર્સિટી અને ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ’ જાહેર કરવામાં આવી.

આ પણ વાંચો: Toolkit Case: કોર્ટે દિશા રવિને 3 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી, પોલીસે કહ્યું પૂછપરછમાં નથી આપી રહી સહયોગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">