AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: બાળકો પર કોરોનાની નવી લહેરનો ખતરો વધ્યો! ગૌતમ બુદ્ધ નગરમાં 107 નવા કેસમાં 33 બાળકોનો સમાવેશ

Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1247 નવા કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં 928 લોકો સાજા થયા છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 11,860 થઈ ગઈ છે.

Corona Virus: બાળકો પર કોરોનાની નવી લહેરનો ખતરો વધ્યો! ગૌતમ બુદ્ધ નગરમાં 107 નવા કેસમાં 33 બાળકોનો સમાવેશ
Corona Cases
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 4:52 PM
Share

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં કોરોનાના કેસ (Corona Cases) સતત વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ જિલ્લામાં કોરોનાના 107 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 33 બાળકો સામેલ છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોવિડ કેસની સંખ્યા 99,154 થઈ ગઈ છે, જેમાંથી 98,253 સાજા થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર, હાલમાં જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 411 છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 490 લોકોના મોત થયા છે. કુલ 2,03,612 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

ચેપ વધી રહ્યો છે, ત્યારે તપાસનો અવકાશ મર્યાદિત થઈ રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, 24 કલાકમાં માત્ર 850 ટેસ્ટ જ થયા છે. ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સુનિલ શર્માના જણાવ્યા અનુસાર, લક્ષણો મળ્યા બાદ જ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ICMRની માર્ગદર્શિકા અને સરકારની સૂચનાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં પુખ્ત રસીકરણ 100 ટકા છે, જ્યારે 12 થી 17 વર્ષની વયજૂથમાં રસીકરણ પણ 50 ટકાથી વધુ છે.

ગૌતમ બુદ્ધ નગર જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ એલ યથિરાજે રવિવારે લોકોને ગભરાવાની નહીં પરંતુ વાયરસ સામે સાવચેતી રાખવા વિનંતી કરી છે. DMએ લોકોને કોરોના સંબંધિત કોઈપણ મદદ માટે હેલ્પલાઈન નંબર 1800492211 પર સંપર્ક કરવા અપીલ કરી હતી. જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે લખનૌ સિવાય પ્રદેશના છ જિલ્લાઓમાં જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.

રાજ્ય સરકારે માસ્ક ફરજિયાત બનાવ્યા

રાજ્ય સરકારે ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત અને રાજધાની લખનૌમાં જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અધિકારીઓને આ જિલ્લાઓમાં એવા લોકોની ઓળખ કરવા કહ્યું છે જેમને હજુ સુધી સંપૂર્ણ રસી આપવામાં આવી નથી.

24 કલાકમાં દેશમાં કોરોનાના 1247 નવા કેસ સામે આવ્યા

જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1247 નવા કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં 928 લોકો સાજા થયા છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 11,860 થઈ ગઈ છે જ્યારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,30,45,527 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના મહામારીના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,21,966 થઈ ગઈ છે.

આ પણ વાંચો : Coronavirus: કોરોના ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત, વીમા યોજના 180 દિવસ માટે લંબાવી

આ પણ વાંચો : શ્રીલંકાને મદદ કરવા બદલ IMFએ ભારતના વખાણ કર્યા, નાણામંત્રીએ કહ્યું- દ્વિપક્ષીય દેશ સાથે કામ કરવાનું ચાલુ રાખશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">