Gujarati NewsNationalOver 1000 jet airways pilots to go ahead with no flying call effective
Big News એપ્રિલ મહિનામાં જેટ ઍરવેઝમાં મુસાફરી કરવાના છો તો જરૂર વાંચો આ ખબર, જેટ ઍરવેઝના 1600 પાયલટમાંથી 1 હજાર પાયલટને પગાર ના મળવાના કારણે હડતાલ પર
જેટ ઍરવેઝના 1 હજાર પાયલટ 1 એપ્રિલથી ઉડાન ભરશે નહી. સેલરી ના મળવાના કારણે પાયલટ આ નિર્ણય લીધો છે. ઍરલાઈન્સને બેંકમાંથી અત્યાર સુધી પૈસા મળ્યા નથી. જેટ પાયલટની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડ(NAG)એ આ જાણકારી આપી હતી. જેટના કુલ 1600 પાયલટ છે. તેમાંથી 1100 પાયલટ NAGથી જોડાયેલા છે. NAGએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે 31 માર્ચ […]
જેટ ઍરવેઝના 1 હજાર પાયલટ 1 એપ્રિલથી ઉડાન ભરશે નહી. સેલરી ના મળવાના કારણે પાયલટ આ નિર્ણય લીધો છે. ઍરલાઈન્સને બેંકમાંથી અત્યાર સુધી પૈસા મળ્યા નથી. જેટ પાયલટની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડ(NAG)એ આ જાણકારી આપી હતી.
જેટના કુલ 1600 પાયલટ છે. તેમાંથી 1100 પાયલટ NAGથી જોડાયેલા છે. NAGએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે 31 માર્ચ સુધી પાયલટને સેલરી ના મળી તો તે 1 એપ્રિલથી વિમાન નહી ઉડાવે. NAGના પ્રેસિડેન્ટ કરણ ચોપડાએ જણાવ્યું કે દેવાની પુન:રચના યોજના હેઠળ 29 માર્ચ સુધી જેટને SBIથી ફંડ મળવાની આશા હતી પણ તે ફંડ મળ્યુ નહી.
તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
રિષભ પંતના પરિવાર વિશે જાણો
મેનેજમેન્ટ તરફથી સેલરીની ચૂકવણી માટે કઈ કહેવામાં આવ્યુ નથી. તેથી મુંબઈ અને દિલ્હીના પાયલટે આ નિર્ણય લેવો પડયો છે. જેટના પાયલટ અને એન્જિનીયરોને 3 મહીનાથી સેલરી નથી મળી. ગયા અઠવાડિયે એન્જિનીયરોએ પણ કહ્યું હતુ કે આર્થિક તંગીના કારણે તેમની માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે. તેથી જેટના વિમાનોની સુરક્ષા મુશ્કેલીમાં છે.
25 માર્ચે નરેશ ગોયલ અને તેમની પત્નીએ ઍરલાઈન બોર્ડમાંથી રાજીનામું આપ્યા પછી બેંકે જેટ ઍરવેઝને 1500 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ હતી. SBIના નેતૃત્વવાળી બેંકોની સાથે દેવાની પુન:રચના યોજના હેઠળ આ સહમતી આપવામાં આવી હતી.