કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવ્યો… ફીના નામે વસૂલવા માગે છે રૂપિયા
કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવી રાખ્યો છે. પાકિસ્તાન સરકાર તરફથી કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનારા શ્રદ્ધાળુઓ પાસેથી ફી વસૂલવાને લઇને નવુ સંકટ આવ્યું છે. પાકિસ્તાન કરતારપુર જનારા પ્રત્યેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર એટલે લગભગ 1450 રૂપિયાની ફી લેવાને લઇને મક્કમ છે. જેના કારણે હજુ સુધી અહીં જનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ […]
કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવી રાખ્યો છે. પાકિસ્તાન સરકાર તરફથી કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનારા શ્રદ્ધાળુઓ પાસેથી ફી વસૂલવાને લઇને નવુ સંકટ આવ્યું છે. પાકિસ્તાન કરતારપુર જનારા પ્રત્યેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર એટલે લગભગ 1450 રૂપિયાની ફી લેવાને લઇને મક્કમ છે. જેના કારણે હજુ સુધી અહીં જનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. આ જ સંબંધે ભારતના વિદેશ મંત્રાલયની એક બેઠક થઇ.
આ પણ વાંચોઃ નાની બહેનનું દિલ તોડનારા પ્રેમીની જાહેરમાં સરભરા…એક પછી એક થપ્પડનો ચખાડ્યો મેથીપાક
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો પાકિસ્તાની અધિકારીઓ સાથે પણ આ અંગે વાત કરવામાં આવશે. ભારત સરકારને આશા છે કે, પાકિસ્તાન તરફથી ફી માફ કરવાની વાત કહેવામાં આવશે. જો ફી માફ નહીં કરે તો આ ફી ઓછી કરવા અંગે પાકિસ્તાન સાથે વાત કરવામાં આવશે. કરતારપુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ત્યારે જ શરૂ થઇ શકશે.
જ્યારે પાકિસ્તાન સાથે ફી સંબંધે કોઇ વાતચીત થાય. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેર કર્યુ હતું કે તેમનો દેશ કરતારપુર કોરિડોરને 9મી નવેમ્બરે ખોલશે. આ કોરિડોર કરતારપુરના દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ધર્મસ્થળ સાથે જોડશે. જેનાથી ભારતીય શ્રદ્ધાળુઓ વીઝા મુક્ત અવરજવર કરી શકશે. શ્રદ્ધાળુઓએ કરતારપુર સાહિબ જવા માટે બસ એક પરમિટ લેવી પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો