કોરોનાની સારવાર માટે થશે એક વધુ દવાનું પરીક્ષણ, સીએસઆઇઆર કરશે Colchicine દવાનું ક્લિનિકલ ટ્રાયલ
Corona ની સારવાર માટે ભારતમાં ટૂંક સમયમાં અન્ય દવાનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (ICMR) દવા કોલ્ચિસિન (Colchicine)ની સલામતી અને અસરકારકતા તપાસવા માટે ક્લિનિકલ ટ્રાયલ કરશે.
Corona ની સારવાર માટે ભારતમાં ટૂંક સમયમાં અન્ય દવાનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (ICMR)કોરોના દર્દીઓની સારવાર માટે દવા કોલ્ચિસિન (Colchicine)ની સલામતી અને અસરકારકતા તપાસવા માટે ક્લિનિકલ ટ્રાયલ કરશે.
દેશમાં હાલમાં કોલ્ચિસિન (Colchicine)નામની દવા સંધિવા અને બળતરા રોગની સારવાર માટે વપરાય છે. કાર્ડિયાક એરેસ્ટથી પીડાતા Corona દર્દીઓ માટે આ દવા એક મહત્વપૂર્ણ રોગનિવારક આશા બની શકે છે.
કેટલાક વૈશ્વિક અધ્યયનોએ હવે પુષ્ટિ આપી છે કે Coronaવાયરસ ચેપ અને પોસ્ટ-કોવિડ સિન્ડ્રોમ દરમિયાન કાર્ડિયાક એરેસ્ટના લીધે ઘણા લોકો જીવ જઇ રહ્યાં છે. તેથી તેની માટેની દવાઓ શોધવી હિતાવહ છે. ભારત આ ડ્રગ કોલ્ચિસિનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને જો આ ક્લિનિકલ ટ્રાયલ સફળ થાય તો તે દર્દીઓને પોસાય તેવા ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સીએસઆઈઆર અને હૈદરાબાદ સ્થિત લક્ષાઇ લાઇફ સાયન્સ પ્રા.લિ.ને ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) દ્વારા પરીક્ષણમાં કોલ્ચિસિન (Colchicine)ડ્રગની સલામતી અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
આ મહત્વપૂર્ણ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગીદારો સીએસઆઇઆર, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (આઈઆઈસીટી) હૈદરાબાદ અને સીએસઆઇઆર-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટીગ્રેટીવ મેડિસિન (IIIM)જમ્મુ છે. સીએસઆઇઆર ના મહાનિર્દેશક ડો. શેખર, સી. માંડેએ આ સ્વીકૃત દવા પર ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે આપવામાં આવેલી મંજૂરી અંગે ખુશી વ્યક્ત કરી.
ડીજી- સીએસઆઈઆઈઆરના સલાહકાર એસ. રામ વિશ્વકર્માએ પ્રકાશ પાડ્યો કે કાળજીના ધોરણ સાથે સંયોજનમાં કોલ્ચિસિન, હૃદય રોગના સહ-રોગવિષયક દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ રોગનિવારક હસ્તક્ષેપ હશે. તેમજ જે પ્રો- ઇનફલેમેન્ટ્રી સાઈટોકિન્સને ઓછું કરવામાં પણ મદદ કરશે. તેમજ તે જે ઝડપથી રિકવરી તરફ દોરી જશે. દેશભરમાં અનેક સ્થળોએ દર્દીઓની નોંધણી શરૂ થઈ ચૂકી છે અને આગામી 8-10 અઠવાડિયામાં ટ્રાયલ પૂર્ણ થવાની સંભાવના છે.