દિલ્લીમાં ખેડૂત આંદોલનનો 27મો દિવસ, કૃષિ કાયદો રદ કરવાની માગ પર ખેડૂતો અડગ
દિલ્લીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી ખેડૂતોનું આંદોલન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. અને હજુપણ જ્યાં સુધી સરકાર કૃષિ કાયદાઓ રદ નહીં કરે ત્યાં સુધી ખેડૂતો શાંતિપૂર્વક આ આંદોલન ચાલુ જ રાખશે તેમ ખેડૂત નેતાઓનું કહેવુ છે. ખેડૂત નેતાઓનું કહેવુ છે કે દિવસો જ નહીં, ભલે મહિનાઓ લાગે, પણ […]
દિલ્લીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી ખેડૂતોનું આંદોલન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. અને હજુપણ જ્યાં સુધી સરકાર કૃષિ કાયદાઓ રદ નહીં કરે ત્યાં સુધી ખેડૂતો શાંતિપૂર્વક આ આંદોલન ચાલુ જ રાખશે તેમ ખેડૂત નેતાઓનું કહેવુ છે. ખેડૂત નેતાઓનું કહેવુ છે કે દિવસો જ નહીં, ભલે મહિનાઓ લાગે, પણ તેઓ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે. અને રોટેશન પ્રમાણે તેઓ ઉપવાસ આંદોલન પણ કરતા જ રહેશે. આ તરફ સરકારે પણ ખેડૂતોને ફરી વાતચીતનો પ્રસ્તાવ મુક્યો છે.