AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલના નિવેદન પર પીયૂષ ગોયલે સંસદમાં કહ્યું- દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ, કોંગ્રેસે ભાજપને આપ્યો આવો જવાબ

રાજ્યસભામાં બીજેપી નેતા પીયૂષ ગોયલે રાહુલ ગાંધીના વિદેશમાં કરાયેલા નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો અને કોંગ્રેસ નેતાની માફી માંગવાની માંગ કરી છે. જો કે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગીત કરવામાં આવી છે.

રાહુલના નિવેદન પર પીયૂષ ગોયલે સંસદમાં કહ્યું- દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ, કોંગ્રેસે ભાજપને આપ્યો આવો જવાબ
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 12:45 PM
Share

લોકસભા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લંડનમાં નિવેદનનો મુદ્દો રાજ્યસભામાં પણ ગુંજ્યો હતો. રાજ્યના બીજેપી નેતા પીયૂષ ગોયલે રાહુલ ગાંધીના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો અને કોંગ્રેસ નેતાની માફી માંગવાની માંગ કરી છે.

પીયૂષ ગોયલે કહ્યું કે, અત્યંત શરમજનક રીતે એક વિપક્ષી નેતા વિદેશમાં જઈને ભારતના ન્યાયતંત્ર, સેના, ચૂંટણી પંચ અને ગૃહનું અપમાન કર્યું છે. વિપક્ષી નેતાએ ખોટા આક્ષેપો કર્યા છે. તેમણે ગૃહમાં આવીને દેશની જનતાની માફી માંગવી જોઈએ.

આ પણ વાચો: Modi On Rahul Gandhi: લંડનમાં બેસીને કેટલાક લોકો ભારતની લોકશાહી પર ઉઠાવી રહ્યા છે સવાલ, મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર

ઇમરજન્સીનો ઉલ્લેખ કરતાં પીયૂષ ગોયલે કહ્યું કે, દેશમાં જ્યારે ઇમરજન્સી લાગુ કરવામાં આવી ત્યારે લોકશાહી પર ખતરો હતો.

રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા ખડગે

રાહુલ ગાંધી પર બીજેપી નેતાના હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમના બચાવમાં આવ્યા હતા. ખડગેએ કહ્યું કે, હું એવા વ્યક્તિ પર ટિપ્પણી કરવાની નિંદા કરું છું જે આ ગૃહના સભ્ય નથી.

ખડગેએ કહ્યું કે, કોલેજમાં લોકશાહીની વાત કરવા બદલ અમને દેશદ્રોહી કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશમાં નિવેદનોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ખડગેએ કહ્યું કે, જો પીએમ પોતે વિદેશમાં આવી વાત કહે છે તો તે યોગ્ય છે અને જો રાહુલ ગાંધી કહે છે તો તે ખોટું છે. ઉલટું ચોર કોટવાલને ઠપકો આપવાની વાત છે.

ભાજપના શાસનમાં લોકશાહીનું કોઈ સ્થાન નથી- ખડગે

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પીયૂષ ગોયલે રાહુલ ગાંધીનું ભાષણ પોતાની રીતે રજૂ કર્યું. તેઓ આ દેશની લોકશાહીને કચડી રહ્યા છે. લોકશાહીનું સ્થાન ભાજપના શાસનમાં નથી. દરેક સરકારી સંસ્થાનો દુરુપયોગ કરી રહ્યા છે.

કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીના ભાષણ વિશે વાત કરતા ખડગેએ કહ્યું કે, જો આપણે કૉલેજમાં લોકશાહીની વાત કરીએ તો અમને રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવે છે. કોરિયામાં મોદીજીએ આ દેશમાં 70 વર્ષમાં જે કંઈ થયું, જે ઉદ્યોગપતિઓ વધ્યા, જે રોકાણ થયું તેની નિંદા કરી. કેનેડામાં કહ્યું કે જે ગંદકી ફેલાવવામાં આવી છે તે હું સાફ કરી રહ્યો છું. ખરગેએ વધુમાં કહ્યું કે, જો વડાપ્રધાન પોતે વિદેશમાં આવી વાત કહે તો તે યોગ્ય છે અને જો રાહુલ ગાંધી કહે છે તો તે ખોટું છે.

વિક્રમ વૈતાળની જેમ ફોલો કરીશું – ખડગે

તેમને ગૃહની અંદર બોલવા ન દેવાનો આરોપ લગાવતા ખડગેએ કહ્યું કે, અમે અદાણીના મુદ્દે જેપીસીની સ્થાપનાની માંગ કરી રહ્યા છીએ. મને 2 મિનિટ પણ બોલવા દેવામાં આવી ન હતી. પિયુષ ગોયલને બોલવા માટે 10 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. અમારું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું અને હોબાળો મચ્યો હતો અમે તેને વિક્રમ બેતાલની જેમ તેના પાછળ પડ્યા રહીશું.

g clip-path="url(#clip0_868_265)">