AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી, કેન્દ્ર સરકારનો નિર્ણય

આ આદેશ મુજબ 20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર આવનારા જોખમવાળા દેશોના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટનું પ્રીબુકિંગ કરવું પડશે.

Omicron Variant: દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી, કેન્દ્ર સરકારનો નિર્ણય
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 6:42 PM
Share

દેશમાં કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટના (Corona Omicron Variant) વધતા કેસોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર (Central Government) તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની હેઠળ જોખમવાળા દેશોથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટની પ્રીબુકિંગ કરવી પડશે.

આ આદેશ 20 ડિસેમ્બરથી લાગુ પડશે. આ આદેશ મુજબ 20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર આવનારા જોખમવાળા દેશોના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટનું પ્રીબુકિંગ કરવું પડશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઓમીક્રોન વેરિએન્ટ દુનિયાના ઘણા દેશોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. એટલું જ નહીં બ્રિટેનમાં ઓમીક્રોનથી પ્રથમ મોતનો કેસ પણ સામે આવી ચૂક્યો છે.

દેશમાં ઓમીક્રોન વેરિએન્ટના 49 કેસ

ત્યારે વાત કરીએ ભારતની તો અહીં ઓમીક્રોન વેરિએન્ટના કુલ કેસની સંખ્યા 49 થઈ ચૂકી છે. મંગળવારે દિલ્હી અને રાજસ્થાનથી 4-4 નવા કેસ સામે આવ્યા. દિલ્હીમાં ઓમીક્રોનના 4 નવા કેસ સામે આવ્યા બાદ હવે રાજ્યમાં તેની કુલ સંખ્યા 6 થઈ ગઈ છે. ત્યારે રાજસ્થાનથી અત્યાર સુધી ઓમીક્રોનના 13 કેસ સામે આવી ચૂક્યા છે. વાત કરીએ અન્ય રાજ્યોની તો અત્યાર સુધી મહારાષ્ટ્રથી ઓમીક્રોનના 20, કર્ણાટકમાંથી 3, ગુજરાતમાંથી 4, કેરળમાંથી 1, આંધ્રપ્રદેશથી 1 અને ચંદીગઢથી 1 કેસ સામે આવી ચૂક્યો છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ

જાણકારી મુજબ સમગ્ર દેશની તુલનામાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઓમીક્રોન સંક્રમિત કેસ મળ્યા છે. મુંબઈમાં કલમ 144 લાગી ચૂકી છે. વારંવાર એ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓમીક્રોન ભારતમાં ત્રીજી લહેર માટે જવાબદાર હોઈ શકે છે અને તેનું કારણ એ છે કે છેલ્લી બે લહેરમાં કોરોના વાઈરસ જે ઝડપે ઘરે-ઘરે પહોંચ્યો હતો, તેના કરતા અનેકગણી ઝડપથી ફેલાવવાની ક્ષમતા ઓમિક્રોનમાં છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું હતું કે અત્યાર સુધી 63 દેશમાં કોરોના વાઈરસના ઓમીક્રોન વેરિએન્ટ જોવા મળ્યો છે અને તે તેની ફેલાવવાની ઝડપમાં ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી દેશે.

આ પણ વાંચો: બૂસ્ટર ડોઝને લઈને પરિણામ એકત્ર કરવામાં વ્યસ્ત સરકાર, ડોક્ટરે કહ્યું- રસીથી કોરોના વેવને રોકવો મુશ્કેલ

આ પણ વાંચો: RAJKOT : મહાનગરપાલિકાએ ટેક્સ કલેક્શન માટે રિક્વરી સેલ અને એસેસમેન્ટ સેલની રચના કરી, ખાસ આસિસ્ટન્ટ મેનેજરની નિમણુંક કરાઇ

Follow Us
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
TV9 ના અહેવાલની ધારદાર અસર..
TV9 ના અહેવાલની ધારદાર અસર..
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
g clip-path="url(#clip0_868_265)">