જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!
ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અત્યારે ભારે હોબાળો છે. અમુક દંપતિઓની તો હત્યા પણ કરી દેવાઈ છે અને દેશભરમાં આવી ઘટનાઓ બની રહી છે. આંતરરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને જો કોઈ દંપતિ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો સરકાર દ્વારા તેમને આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે. Web Stories View more આજનું રાશિફળ […]
ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અત્યારે ભારે હોબાળો છે. અમુક દંપતિઓની તો હત્યા પણ કરી દેવાઈ છે અને દેશભરમાં આવી ઘટનાઓ બની રહી છે. આંતરરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને જો કોઈ દંપતિ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો સરકાર દ્વારા તેમને આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ‘લેેડી સિંઘમ’ IPS અધિકારી રેપના આરોપીને સઉદી અરબમાં જઈને પકડી લાવ્યા, આરોપી 2 વર્ષથી હતો ફરાર
આંતરજ્ઞાતિય લગ્નને એક એવું પગલું માનવામાં આવે છે જેના લીધે જાતિવાદને ઘટાડી શકાય છે અને સમાજમાં આઝાદી, સમાનતા, ભાઈચારો ફેલાવી શકાય છે. આમ રાજ્યને પણ કોઈપણ રીતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોય તેવા યુગલને હેરાનગતિ ન થાય તેવા નિર્દેશો આપવામાં આવ્યા છે. જો એવી પરિસ્થિતિ સર્જાઈ તો તેમને સુરક્ષા પુરી પાડવાની જવાબદારી જે-તે રાજ્યની છે.
સમ્માન માટે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા પ્રેમીઓની હત્યા કરી દેવાઈ છે. આવા લગ્નોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે એક સ્કીમ બનાવી છે જેનું નામ ડૉ.આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઈન્ટ્રીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરિજ છે. જેમાં લગ્ન કરનારા યુગલમાંથી કોઈપણ એકનું અનુસૂચિત જાતિમાંથી હોવું જરુરી છે જ્યારે બીજાનું હિન્દુમાં આવતી અનુસૂચિત જાતિ સિવાયનું હોવું જરુરી છે.
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સરકાર દ્વારા આવા 500 યુગલોને 2.5 લાખ રુપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા બાદ 1 વર્ષ સુધીમાં અરજી કરવાની રહે છે. અરજી ધારાસભ્ય, સાંસદ કે મજિસ્ટ્રેટ દ્વારા કરી શકાય છે.
[yop_poll id=”1″]