કોરોનાને લઈને ભારત માટે એક રાહતના સમાચાર, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી

|

Sep 29, 2020 | 1:10 PM

ભારતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે પણ એક સારા સમાચાર પણ આવ્યા છે. દેશમાં કોરોના વાઈરસના કેસનો બમણો થવાનો દર ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે માહિતી આપી કે દેશમાં કોરોનાના કેસ બમણો થવાનો દર પહેલાં 3.41 દિવસ હતો તે હવે 11 દિવસનો થઈ ગયો છે. આમ કોરોનાના કેસ ડબલ થતા વધારે […]

કોરોનાને લઈને ભારત માટે એક રાહતના સમાચાર, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી

Follow us on

ભારતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે પણ એક સારા સમાચાર પણ આવ્યા છે. દેશમાં કોરોના વાઈરસના કેસનો બમણો થવાનો દર ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે માહિતી આપી કે દેશમાં કોરોનાના કેસ બમણો થવાનો દર પહેલાં 3.41 દિવસ હતો તે હવે 11 દિવસનો થઈ ગયો છે. આમ કોરોનાના કેસ ડબલ થતા વધારે સમય લાગી રહ્યો છે જે એક રાહતના સમાચાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :  કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમચાર, જાણો ક્યારે શરૂ થશે શૈક્ષણિક સત્ર?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે ઉત્તરપ્રદેશ, ઓડિશા, દિલ્હી, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, તમિલનાડુ અને પંજાબમાં ડબ્લિંગ રેટ 11 દિવસ હતો તે 20 દિવસ થઈ ગયો છે. જ્યારે લદાખ, હરિયાણા, ઉત્તરાખંડ અને કેરલમાં 20 દિવસ હતો તે હવે 40 દિવસનો થઈ ગયો છે. ટેસ્ટિંગ બાબતે તેઓએ કહ્યું કે આપણે ફક્ત આરટીપી-સીઆર ટેસ્ટિંગનો જ ઉપયોગ કરીશું. દેશમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે એટલે કે વધારે દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. જે પહેલાં 13.6 ટકા હતો અને હવે 25.1 થઈ ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોરોના વાઈરસના દવા અંગે તેઓએ જાણકારી આપતાં કહ્યું કે રેમડેસિવીરને હાલ પ્રયોગમાં છે. જ્યાં સુધી ચોક્કસ નથી થઈ જતો ત્યાં સુધી તે પ્રાયોગિક જ છે. તમામ પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે. લવ અગ્રવાલે માહિતી આપી કે ઘણાંબધા સંસ્થાનો આ અંગે કામ કરી રહ્યાં છે. જો કે તેને સમય લાગી જશે અને કેટલાં બધા ચરણ પાર કર્યા બાદ જ પરિણામ આવી શકશે. ભારતમાં કોરોના વાઈરસની સામે 8373 લોકોએ જંગ જીતી લીધી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાાણ મંત્રાલયે જાણકારી આપી કે છેલ્લાં 24 કલાકમાં નવા 1823 કેસ સામે આવ્યા છે. જ્યારે 67 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 33610 થઈ ગઈ છે. જ્યારે 24162 કેસ હાલ એક્ટિવ છે. 1075 લોકોએ કોરોના વાઈરસના લીધે દેશમાં જીવ ગુમાવ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:36 pm, Thu, 30 April 20

Next Article