ચંદ્ર પરનું રહસ્ય ઉકેલાયુ પણ આ ટાપુ પરનું રહસ્ય હજુ પણ રહસ્ય જ રહ્યું
હિંદ મહાસાગરના આંદામાન ટાપુઓમાં સ્થિત નોર્થ સેન્ટીનેલ ટાપુ(north sentinel island)ના રહેવાસીઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે વિખુટા છે. તેઓ પૃથ્વી પરના અંતિમ સંપર્ક વિનાના લોકોમાંના એક માનવામાં આવે છે.
આજે મનુષ્ય પૃથ્વી પર લગભગ દરેક જગ્યાએ જઈ શકે છે. લોકોને ઉત્તર કોરિયા જેવા દેશોમાં જવાની પણ છૂટ છે પરંતુ એક એવી જગ્યા છે જ્યાં જવું મૃત્યુને ભેટવા સમાન છે.
તમને આશ્ચર્ય લાગશે પણ આ સ્થળ દૂરના સ્થળે નહીં પણ ભારતમાં જ આવેલું છે જ્યાં હજુ સુધી વિશ્વનો કોઈ વ્યક્તિ સ્થાનિકો પાસે પહોંચી શક્યો નથી. આ માટે પ્રયાસ કરાયો હતો પણ ક્યાં તો તેમણે જીવથી હાથ ધોવાનો વારો આવ્યો અથવા ઊભી પૂંછડીએ પરત ભાગવું પડ્યું છે.
અહીં પગ મુકવો મોતને આમંત્રણ સમાન છે
હિંદ મહાસાગરના આંદામાન ટાપુઓમાં સ્થિત નોર્થ સેન્ટીનેલ ટાપુના રહેવાસીઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે વિખુટા છે. તેઓ પૃથ્વી પરના અંતિમ સંપર્ક વિનાના લોકોમાના એક માનવામાં આવે છે. આ ટાપુ 2018 માં અચાનક ચર્ચામાં આવ્યો હતો જ્યારે 26 વર્ષીય ખ્રિસ્તી પ્રચારક જોન એલન ચાઉ જેણે અહીં જવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ટાપુના લોકોએ મારી નાખ્યો હતો.
ટાપુ પર જનાર દરેકને મોત મળ્યું
જોન એલનનું ટાપુ પર જવું અહીંના સ્થાનિકોને પસંદ પડ્યું ન હતું જોને અહીં જવાનો પ્રયાસ કર્યો હતો. તેણે અહીંના આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ તેણે જીવ ગુમાવવો પડ્યો હતો. જો કે, જોનનું મૃત્યુ ટાપુ પાર બહારના વ્યક્તિના હત્યાકાંડની એકમાત્ર ઘટના નથી. વર્ષ 2006માં ટાપુ નજીકના પાણીમાં માછીમારી કરતા બે માછીમારોની પણ હત્યા કરવામાં આવી હતી. જો કે, બહારની દુનિયા પ્રત્યે આ લોકોના પ્રતિકૂળ વલણનું સાચું કારણ બ્રિટિશ સંસ્થાનવાદી ઇતિહાસમાં હોઈ શકે છે. જેમાં રોગ, યૌન શોષણ અને અપહરણ કારણભૂત હોઈ શકે છે.
કેમ બહારના લોકોને દુશ્મન સમવામાં આવે છે?
વર્ષ 1879 માં બ્રિટિશ નૌકાદળના અધિકારી મૌરિસ વિડાલ પોર્ટમેનને આંદામાનના અધિકારી-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેઓ બે દાયકાથી વધુ સમયથી આ પ્રદેશમાં આદિવાસીઓના દમનના દસ્તાવેજીકરણ માટે જવાબદાર હતા. તેમની ભૂમિકા એ વિસ્તારના સમુદાયોને ‘સભ્યકરણ’ કરવાની હતી. જોકે અર્થઘટન અલગ કરાયું અને તેનો અર્થ બળનો ઉપયોગ રહ્યો હતો. વર્ષ 1880 માં તેમણે ઉત્તર સેન્ટીનેલ ટાપુની યાત્રા કરી હતી. અહીં દમણની શરૂઆત કરવા મૌરિસ અને તેના માણસોએ છ ટાપુવાસીઓને પકડ્યા હતા જેમાં એક વૃદ્ધ પુરુષ, સ્ત્રી અને ચાર બાળકો હતા. આ ટાપુવાસીઓને વિજ્ઞાનના કહેવાતા પ્રયોગ માટે પોર્ટ બ્લેર લાવ્યા હતા.
તેની ક્રિયાઓનું દસ્તાવેજીકરણ કરતી વખતે, તેણે કહ્યું કે ટાપુ પરથી લાવવામાં આવેલા લોકો જલ્દીથી એવા રોગનો ભોગ બન્યા હતા, જેનો તેઓએ પહેલાં ક્યારેય સામનો કર્યો ન હતો. તે ઝડપથી બીમાર પડવા લાગ્યો. પુરુષ અને સ્ત્રી બંને મૃત્યુ પામ્યા. જ્યારે બાળકોને પાછા ટાપુ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ચેપગ્રસ્ત હતા ત્યારે તેઓને ટાપુ પર છોડવામાં આવ્યા હતા. બાળકો દ્વારા ફેલાતો ચેપ તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. માનવાધિકાર સંસ્થા સર્વાઇવલ ઇન્ટરનેશનલ કહે છે કે આદિવાસીઓમાં નવા આવનારાઓ પ્રત્યેની મોટાભાગની દુશ્મનાવટ અને ડર પોર્ટમેનની મુલાકાતોને આભારી હોઈ શકે છે.
ટાપુનો અજાણ્યો ઇતિહાસ
એક અનુમાન અનુસાર નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ ભારતનો એક એવો ટાપુ છે જેના પર 60 હજાર વર્ષોથી માણસો રહે છે. અહીંના લોકો વિષે માહિતી પણ ખુબ ઓછી બહાર આવી છે. આજ સુધી આપણે નથી જાણતા કે તેઓ શું ખાય છે? શું બોલે છે? અને માત્ર 23 ચોરસ માઇલના આ નાના ટાપુ પર કેવી રીતે સુનામી આવે છે શું તેઓ વાવાઝોડા જેવી આફતો છતાં પોતાને જીવતા રાખે છે?
પોર્ટ બ્લેરથી માત્ર 50 કિલોમીટર દૂર આવેલો ટાપુ સંપર્કવિહોણો
નોર્થ સેન્ટિનલ આઇલેન્ડનું અંતર આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરથી માત્ર 50 કિલોમીટર છે. હાલમાં આ ટાપુની ચર્ચા ભારતથી લઈને અમેરિકા સુધી થઈ રહી છે કારણ કે અહીંના પ્રતિબંધિત જંગલોમાં પહોંચેલા અમેરિકન પ્રવાસીની હત્યા થઈ હતી. આ ટાપુ પર રહેતા આદિવાસીઓ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવાની મનાઈ હોવા છતાં આ પ્રવાસી આ ટાપુની અંદર ગયો હતો.
બહારના લોકો પર ધનુષ્ય અને તીર વડે હુમલો કરવામાં આવે છે
સંપર્ક ન કરવા પાછળ બે મોટા કારણો છે. પ્રથમ, આ લોકો બહારની દુનિયા સાથે સંપર્ક કરવા માંગતા નથી. જે પણ આવું કરવાનો પ્રયાસ કરે છે તેના પર ધનુષ્ય અને તીર વડે હુમલો કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સંપર્ક કરવો જીવલેણ છે. 2004ની સુનામી દરમિયાન સરકારે સેન્ટીનેલ આદિવાસીઓને મદદ કરવા માટે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર સેન્ટીનેલ આઇલેન્ડ પર મોકલ્યા હતા પરંતુ આદિવાસીઓએ હેલિકોપ્ટર પર જ તીર છોડવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2006માં બે માછીમારો તેમની બોટ સાથે ટાપુ પાસે ભટકી ગયા હતા અને તેમના જીવ ગુમાવ્યા હતા. વર્ષ 1981 માં જ્યારે એક વહાણ ટાપુની ખડકની નજીક ફસાયું હતું ત્યારે આદિવાસીઓએ ધનુષ્ય, તીર અને ભાલા વડે વહાણના ક્રૂ પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ કોઈક રીતે હેલિકોપ્ટરની મદદથી આ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
મૈત્રીપૂર્ણ સંપર્કની એકમાત્ર ઘટના બની હતી
રિસર્ચર જિયો બ્રધરના એક વિડિયો અનુસાર આ લોકો સાથે સૌપ્રથમ વખત વર્ષ 1991માં મૈત્રીપૂર્ણ સંપર્ક કરવામાં આવ્યો હતો જ્યારે ઘણા નારિયેળ બોટમાં ભરીને ટાપુની નજીક લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રથમ વખત ત્યાં નારિયેળ મુકવામાં આવ્યા અને સ્થાનિક લોકો ખુશીથી તેને ઉપાડતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં, આ ટાપુ પર કોઈ નારિયેળ નથી અને અહીંના આદિવાસીઓ તેને ખૂબ પસંદ કરે છે. આ બાદ નજીક જવાનો પ્રયાસ થતા ફરી હુમલો થયો હતો. નજીકથી મૈત્રીપૂર્ણ સંપર્કનો આ પ્રથમ અને છેલ્લો પ્રયાસ હતો. ત્યારબાદ સરકારે 1997 થી સંપર્ક માટેના પ્રયાસો છોડી દીધા હતા.
સ્થાનિકોને રોગચાળાનો ભય રહે છે
સેન્ટીનેલ ટાપુના આદિવાસીઓનો સંપર્ક ન કરવાનું બીજું મોટું કારણ એ છે કે આ લોકો બહારની દુનિયાના સંપર્કમાં આવતાની સાથે જ વિવિધ રોગોના સંક્રમણનું જોખમ ધરાવે છે. આ કારણે ટ્વિટર પર ઘણા લોકો અમેરિકન નાગરિક ચાઉના આદિવાસીઓ સાથેના સંપર્કની ટીકા કરી રહ્યા છે. જાણકારોએ કહ્યું કે ડર છે કે ચાઉના શરીરથી આદિવાસી લોકોમાં બીમારી અથવા ચેપ લાવ્યો હશે. જો આપણામાંથી કોઈ પણ નિઃશસ્ત્ર પણ આ આદિવાસી લોકોની વચ્ચે ભટકશે તો તેઓ ઈન્ફલ્યુએન્ઝા, અછબડા વગેરે જેવા કોઈપણ રોગને પકડી લેશે અને આ લોકોની બાકીની વસ્તીનો નાશ કરશે.
આ પણ વાંચો : Swiss Bank ધનકુબેરોની પહેલી પસંદ બની, અહીં કાળું નાણું છુપાવવાની રમત કેવી રીતે ચાલે છે?