Nhu Violence: નૂહમાં હિંસા ભડકાવનાર બિટ્ટુ બજરંગીની ધરપકડ, આ કલમો હેઠળ નોંધાયો કેસ

|

Aug 16, 2023 | 11:24 AM

નૂહ પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બિટ્ટુ બજરંગીની ધરપકડ બાદ તેને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે બજરંગી અને અન્ય આરોપીઓ સામે નુહ હિંસા મામલે લગભગ 8થી વધુ આઈપીસી કલમો દાખલ કરી છે.

Nhu Violence: નૂહમાં હિંસા ભડકાવનાર બિટ્ટુ બજરંગીની ધરપકડ, આ કલમો હેઠળ નોંધાયો કેસ
Nhu Violence

Follow us on

Nhu Violence: હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા બાદ પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. મંગળવારે પોલીસે હિંસાના મુખ્ય આરોપીઓમાંના એક ગણાતા બિટ્ટુ બજરંગીની ધરપકડ કરી હતી. બિટ્ટુને ગૌ રક્ષક માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે, તેમણે બિટ્ટુ તેમજ અન્ય 15-20 લોકો વિરુદ્ધ દાખલ ફરિયાદ પર કાર્યવાહી કરી છે. બજરંગી ઉર્ફે રાજકુમાર સામે નવેસરથી FIR નોંધાયા બાદ તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી.

બિટ્ટુ બજરંગીની ધરપકડ

નૂહ પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બિટ્ટુ બજરંગીની ધરપકડ બાદ તેને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે બજરંગી અને અન્ય આરોપીઓ સામે નુહ હિંસા માલમેમાં આઈપીસી કલમ 148 (હુલ્લડ), 149 (ગેરકાયદેસર સભા), 332 (દુઃખ પહોંચાડવા), 353, 186 (ડ્યુટીમાં સરકારી કર્મચારીને અવરોધવું), 395, 397 હેઠળ (હથિયારો સાથે લૂંટ) એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સિવાય તેમના પર 506 (ગુનાહિત ધમકી) અને આર્મ્સ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર પોલીસની સખ્ત નજર

પોલીસે જણાવ્યું કે ગોરક્ષા બજરંગ ફોર્સ સંગઠનના પ્રમુખ બજરંગીને અગાઉ તોરુની ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પૂછપરછ માટે ફરીદાબાદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હિંસાના આરોપીઓ સામે કાર્યવાહી કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે હિંસામાં સામેલ અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ભડકાઉ કે વાંધાજનક સામગ્રી પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ ઉશ્કેરણીજનક ભાષણ આપશે અથવા ભ્રામક સમાચાર ફેલાવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગેરકાયદેસર હથિયારો જપ્ત કરાયા – પોલીસ

નુહમાં 31 જુલાઈએ થયેલી હિંસા પર કાર્યવાહી કરી રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, બજરંગ અને તેના સહયોગીઓએ VHPના સરઘસ દરમિયાન ગેરકાયદેસર હથિયારો પણ લહેરાવ્યા હતા. જો કે પોલીસે તે તમામ હથિયારો કબજે કર્યા છે.

તમને જણાવી દઈએ કે નૂહ હિંસા પહેલા પણ બજરંગી પર સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ શેર કરવાનો અને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. તાજેતરમાં, હરિયાણાના નૂહ સહિત પાડોશી હરિયાણામાં હિંસા જોવા મળી હતી. આ હિંસામાં બે હોમગાર્ડ, એક મૌલવી સહિત છ લોકો માર્યા ગયા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article