New Parliament Building Inauguration: PM મોદીના આગમનથી લઈને સંબોધન સુધી, જાણો સંસદના કાર્યક્રમની મિનિટ ટુ મિનિટ વિગતો
દેશને રવિવારે નવું સંસદ ભવન મળવા જઈ રહ્યું છે. 800 કરોડથી વધુના ખર્ચે બનેલ આ ઈમારતનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. વરિષ્ઠ મંત્રીઓ, 25 રાજકીય પક્ષોના સભ્યો અને ધાર્મિક નેતાઓ સહિત અન્ય ઘણા મહાનુભાવો ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) 28 મે, રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. વરિષ્ઠ મંત્રીઓ, 25 રાજકીય પક્ષોના સભ્યો અને ધાર્મિક નેતાઓ સહિત અન્ય ઘણા મહાનુભાવો ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના છે. કાર્યક્રમની શરૂઆત રવિવારે સવારે હવન અને બહુધાર્મિક પ્રાર્થનાથી થશે. આ પછી પીએમ નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. બપોર બાદ મુખ્ય કાર્ય શરૂ થવાનું છે. ઉદઘાટન સમારોહને ભવ્ય બનાવવા સરકાર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવું સંસદ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. સંસદ ભવન તૈયાર કરવા માટે અંદાજિત 971 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જૂની સંસદની તુલનામાં તેમાં ઘણી અદ્યતન સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનું જીવંત પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવશે. આ સિવાય પ્રોગ્રામ સંબંધિત તમામ અપડેટ્સ પણ TV9 હિન્દી પર ઉપલબ્ધ હશે. આવી સ્થિતિમાં, અમે તમને સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમના મિનિટ-ટુ-મિનિટના કાર્યક્રમ વિશે માહિતી આપીએ.
ઇવેન્ટ્સનું સંપૂર્ણ શેડ્યૂલ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.15 કલાકે વિજય ચોક પહોંચશે.
- ગાંધીજીની પ્રતિમા પાસે બનેલા પંડાલમાં સવારે 7.30 કલાકે પૂજા શરૂ થશે.
- સવારે 8.30 કલાકે પૂજા પૂર્ણ થશે.
- સવારે 8.30 વાગ્યા પછી વડાપ્રધાન અન્ય મહાનુભાવો સાથે ચેમ્બરની મુલાકાત લેશે.
- સવારે 9 થી 9.30 પ્રાર્થના સભા થશે.
- સવારે 9.30 વાગ્યા પછી વડાપ્રધાન પ્રાર્થના સભા માટે રવાના થશે.
- મહેમાનોનું આગમન સવારે 11.30 વાગ્યાથી શરૂ થશે.
- બપોરે 12.00 વાગ્યે વડાપ્રધાન મહાનુભાવો સાથે મંચ પર પહોંચશે.
- બપોરે 12.07 કલાકે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે.
- બપોરે 12.10 કલાકે ઉપરાષ્ટ્રપતિનું ભાષણ થશે.
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ બપોરે 12.33 કલાકે વાંચવામાં આવશે.
- વિપક્ષના નેતા 12.38 કલાકે રાજ્યસભાને સંબોધિત કરશે.
- સ્પીકર 12.43 કલાકે લોકોને સંબોધિત કરશે.
- વડાપ્રધાન મોદી બપોરે 1.05 વાગ્યે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડશે.
- વડાપ્રધાન મોદીનું સંબોધન બપોરે 1.10 વાગ્યે શરૂ થશે.
નવી સંસદની વિશેષતાઓ શું છે?
નવા સંસદભવનમાં લોકસભાના 888 સાંસદો માટે બેઠક વ્યવસ્થા હશે. જો રાજ્યસભામાં બેસવાની ક્ષમતાની વાત કરીએ તો અહીં 348 સાંસદો બેસી શકશે. રાજ્યસભા ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત છે. નવા સંસદ ભવનમાં સંયુક્ત સત્રમાં 1272 લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવા બિલ્ડીંગમાં એક ‘કોન્સ્ટીટ્યુશન હોલ’ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સિવાય સંસદ ભવનમાં તમને અતિ આધુનિક ઓફિસો પણ જોવા મળશે. સેન્ટ્રલ લાઉન્જ અને ઓપન કોર્ટયાર્ડ પણ છે.