નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત બન્યા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ મુર્મુએ લેવડાવ્યા શપથ

નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા બીજા નેતા બન્યા છે. જવાહરલાલ નેહરુએ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીતી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ 2014, 2019 અને 2024ની ચૂંટણી જીતી છે.

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત બન્યા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ મુર્મુએ લેવડાવ્યા શપથ
PM Modi
Follow Us:
| Updated on: Jun 09, 2024 | 8:07 PM

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નરેન્દ્ર મોદીની સાથે બીજા કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે.

નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા બીજા નેતા બન્યા છે. જવાહરલાલ નેહરુએ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીતી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ 2014, 2019 અને 2024ની ચૂંટણી જીતી છે.

વડાપ્રધાન બાદ રાજનાથ સિંહે મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ અગાઉની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેઓ લખનૌથી નવા ચૂંટાયેલા સાંસદ છે. ત્યાર બાદ ભાજપના નેતા અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉની સરકારમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. તેઓ ગાંધીનગર બેઠક પરથી સતત બીજી વખત સાંસદ બન્યા.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. પીએમ મોદીની અગાઉની બંને સરકારોમાં ગડકરી કેબિનેટ મંત્રી હતા. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડાપ્રધાને હાજરી આપી હતી.

પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી સહિત અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આ સિવાય અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર, રજનીકાંત સહિત ઘણા કલાકારોએ ભાગ લીધો હતો.

તમને જણાવી દઈએ કે દેશમાં યોજાયેલી 18મી લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને 292 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જ્યારે ભાજપને 240 બેઠકો મળી હતી.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">