ભારતમાં એવા ઘણા લોકો છે જે નાની ઉંમરમાં જ સફળતાના ઊંચા ઊંચા શિખરો સર કરી લેતા હોય છે. કથાવાચક જયા કિશોરી પણ આવા તેજસ્વી લોકોમાંથી જ એક છે. જયા કિશારી કથા વાચક, ભજનિક અને મોટિવેશનલ સ્પીકર તરીકે પણ જાણીતી છે. 24 વર્ષીય જયા કિશોરી ખુબ નાની ઉંમરમાં જ સફળતાની ઊંચાઈ પર પહોંચી ગઈ છે.જયા કિશોરી નાની ઉંમરમાં જ સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ ધરાવે છે.
જયા કિશોરી હાલમાં તેના લગ્નના વાતોને કારણે ચર્ચામાં આવી હતી. પણ આ બધા વચ્ચે હાલમાં જયા કિશોરીએ એક ઈન્ટરવ્યૂમાં કહેલી વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખુબ ઓછા લોકો હશે જે જયા કિશોરીના મિત્રો વિશે જાણતા હશે. એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમારા કોઈ નજીકના મિત્રો છે કે બસ તમે પૂજા અને ભજનમાં જ લીન રહો છો. આ સવાલ સામે જયા કિશોરીએ આપેલો જવાબ હાલમાં ચર્ચામાં છે.
તમારા કોઈ નજીકના મિત્રો છે કે બસ તમે પૂજા અને ભજનમાં જ લીન રહો છો ? ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા આ સવાલનો જવાબ આપતા જયા કિશોરીએ જણાવ્યું કે, મારા મિત્રોનું એક ગ્રુપ છે. મેં કોલેજ લાઈફ ખુબ ઓછી જોઈએ છે, એટલે મારા કોલેજ ફ્રેન્ડ ઓછા છે. પણ મારા સ્કૂલના ઘણા મિત્રો છે અને ખુબ નજીક છે.
ઈન્ટવ્યૂ દરમિયાન જયા કિશોરીએ આગળ જણાવ્યું હતું કે, મિત્રો સાથે ગ્રુપ ચેટના માધ્યમથી વાતો થતી રહે છે. હવે બધાના જીવનમાં ફેરફાર થયો છે, બધા પોતાના કામમાં વ્યસ્ત છે. બધા અલગ અલગ શહેરોમાં જતા રહ્યાં છે. પણ તેમ છતા વીડિયો કોલ અને ફોન કોલના માધ્યમથી એક સાથે જોડાયેલા રહીએ છે. એક-બે દિવસોના અંતરમાં અમે મિત્રો એકબીજા સાથે વાતો કરતા રહીએ છે.
તેમણે આગળ જણાવ્યું કે, અમે જયારે વાતો કરીએ છે ત્યારે એક-બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તેના વિશે જાણીએ છે. આ દરમિયાન અન્ય વાતો પણ કરીએ છે, કારણ કે બધા અલગ અલગ શહેરોમાં છે અને બધાના જીવનમાં નવી વસ્તુઓ થઈ રહી છે, જેને લઈને વાતો થતી રહે છે. તે સિવાય અમે કામની પણ ઘણી વાતો કરીએ છે.
સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર જયા કિશોરીના લાખો ફેન્સ અને ફોલોઅર્સ છે. ફેસબુક પર તેમના 85 લાખ, જ્યારે ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર 45 લાખ ફોલોવર્સ છે. તેમની મોટિવેશનલ સ્પીચના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.