AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2020માં ભારતમાં 1.58 લાખથી વધુ ટુ-વ્હીલર રોડ અકસ્માત નોંધાયા હતા, સરકારે જાહેર કર્યા આંકડા

ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ અને ગંભીર ઇજાઓ થાય છે. ભારતમાં દર વર્ષે લગભગ 450,000 અકસ્માતો થાય છે.

2020માં ભારતમાં 1.58 લાખથી વધુ ટુ-વ્હીલર રોડ અકસ્માત નોંધાયા હતા, સરકારે જાહેર કર્યા આંકડા
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 6:16 PM
Share

ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં માર્ગ અકસ્માતને (Road Accidents) કારણે સૌથી વધુ મૃત્યુ અને ગંભીર ઇજાઓ થાય છે. ભારતમાં દર વર્ષે લગભગ 450,000 અકસ્માતો થાય છે, જેમાં લગભગ 150,000 લોકો માર્યા જાય છે અને ઘણા વધુ ઘાયલ થાય છે. વાસ્તવમાં, ભારત એવા દેશોની યાદીમાં સામેલ છે જ્યાં માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ થાય છે. એક અંદાજ દાવો કરે છે કે ભારતમાં દર કલાકે 53 માર્ગ અકસ્માત થાય (Road Accidents India) છે અને દર ચાર મિનિટે એક મૃત્યુ થાય છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે, 2020માં ભારતમાં 158,964 ટુ-વ્હીલર રોડ અકસ્માતો થયા હતા, જેમાં 56,873 લોકોના મોત થયા હતા.

તેમણે એમ પણ કહ્યું કે, 2019માં, સમગ્ર ભારતમાં 56,136 લોકો દ્વિચક્રી વાહનોને સંડોવતા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ટુ-વ્હીલર સાથેના અકસ્માતોની કુલ સંખ્યા 167,184 હતી. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોને રોકવા માટે, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ એક બહુવિધ કાર્ય વ્યૂહરચના ઘડી છે જે શિક્ષણ, માર્ગ અને વાહનોના એન્જિનિયરિંગ, અમલીકરણ અને કટોકટીની સંભાળના આધારે માર્ગ સલામતીના મુદ્દાને સંબોધિત કરે છે.

ભારતમાં દર વર્ષે લગભગ 450,000 અકસ્માતો થાય છે

આ માર્ગ અકસ્માતોમાં મોટાભાગના ટુ વ્હીલરનો સમાવેશ થાય છે. જ્યાં આ અકસ્માતોનું એક કારણ ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું છે. ઉપરાંત, રસ્તાની સ્થિતિમાં આનું બીજું એક મોટું કારણ છે. ઉપરાંત, આમાંના મોટાભાગના માર્ગ અકસ્માતો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર થાય છે. ભારતમાં દર વર્ષે લગભગ 450,000 અકસ્માતો થાય છે, જેમાંથી 150,000 લોકો જીવ ગુમાવે છે.

દ્વિચક્રી વાહનો સાથે જોડાયેલા આ માર્ગ અકસ્માતોને રોકવાના પ્રયાસરૂપે MoRTH અનેક અલગ-અલગ પગલાં ભર્યા છે. 1 એપ્રિલ 2019 થી તેમણે ટુ-વ્હીલર ઉત્પાદકોને તમામ ટુ-વ્હીલર્સને 125cc એબીએસથી વધુના એન્જિન ડિસ્પ્લેસમેન્ટ સાથે સજ્જ કરવા જણાવ્યું છે. જ્યારે 125cc અથવા તેનાથી ઓછા એન્જિન ડિસ્પ્લેસમેન્ટવાળા મોડલ કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ (CBS) સાથે ફીટ કરવા જોઈએ. સરકારે ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડની રકમમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

1 ઓક્ટોબરથી છ એરબેગ ફરજિયાત રહેશે

આ સાથે પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પણ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે, સરકાર નાની કાર સહિત તમામ વાહનો માટે છ એરબેગ્સ હોવી ફરજિયાત બનાવવા માગે છે. 1 ઓક્ટોબર પછી ઉત્પાદિત તમામ વાહનો માટે આ નિયમ ફરજિયાત બનાવવામાં આવશે. ગડકરીએ રાજ્યસભામાં કહ્યું કે, જો કારમાં એરબેગ્સ કાર્યરત હોય તો 2020માં દેશમાં 13,022 લોકોના જીવ બચાવી શકાયા હોત.

આ પણ વાંચો: CA Syllabus: CAનો સિલેબસ બદલવાનો છે, ICAIએ જણાવ્યો પ્લાન, જાણો કેવો હશે નવો સિલેબસ

આ પણ વાંચો: UG admission 2022: કયા વિષયમાં પ્રવેશ માટે ધોરણ 12નો કયો કોર્સ જરૂરી છે, AICTEએ સંપૂર્ણ યાદી બહાર પાડી 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">