AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023 : ગુજરાતમાં કેવુ રહેશે ચોમાસુ? ચોમાસાને લઈને નવું અપડેટ, જાણો આ વખતે ચોમાસામાં કેટલો પડશે વરસાદ, જુઓ Video

ચોમાસાની સિઝનમાં અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે અને તેની અસર સિઝનના બીજા ભાગમાં જોવા મળી શકે છે.

Monsoon 2023 : ગુજરાતમાં કેવુ રહેશે ચોમાસુ? ચોમાસાને લઈને નવું અપડેટ, જાણો આ વખતે ચોમાસામાં કેટલો પડશે વરસાદ, જુઓ Video
How will the monsoon be in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 3:25 PM
Share

Monsoon forecast : હવામાન વિભાગે ફરી એકવાર દેશમાં ચોમાસાને લઈને નવું અપડેટ જાહેર કર્યું છે. IMDનું અપડેટ સામાન્ય લોકો અને ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે અને અલ નીનોની સ્થિતિ હોવા છતાં ચોમાસા પર તેની વધારે અસર નહીં થાય.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશક ડૉ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાની અપેક્ષા છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે અને તેની અસર બીજા ભાગમાં જોવા મળી શકે છે.

તેમણે કહ્યું હતું કે તમામ અલ નીનો વર્ષ ચોમાસાના નબળુ વર્ષ નથી. તેથી આ વખતે પણ ચોમાસા સાથે અલ નીનોનો સીધો સંબંધ નહીં હોય અને સામાન્ય વરસાદ પડશે.

ગુજરાતમાં કેવુ રહેશે ચોમાસુ?

ચોમાસાનો પ્રથમ તબક્કો ખૂબ સારો રહેશે. ગુજરાતમાં જુલાઈથી ઓગસ્ટ સુધીમાં ખુબ સારું ચોમાસુ રહેશે. આ સમયગાળા દરમિયાન સારો અને વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.

ચોમાસા પર અલ નીનોની અસર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની સિઝનમાં અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે અને તેની અસર સિઝનના બીજા ભાગમાં જોવા મળી શકે છે.

ચોમાસુ 96 ટકા રહેશે

હવામાન વિભાગની માહિતી અનુસાર, ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સીઝન (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળશે. આ વખતે ચોમાસું 96 ટકા (5 ટકાના ભૂલ માર્જિન સાથે) રહેશે અને દેશમાં 87 સે.મી.ના લાંબા ગાળાનો વરસાદ પડશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">