અતિ પછાત હિંદુઓ કરતા પણ બદ્દતર સ્થિતિમાં જીવે છે પસમાંદા મુસ્લિમો… શું મોદી સરકાર મુસ્લિમોની પણ જાતિ આધારીત વસતી ગણતરી કરાવશે?

મોદી સરકારે રાષ્ટ્રીય સ્તર પર જાતિગત જનગણના કરાવવાનો નિર્ણય કર્યો છે. તો હિંદુઓની સાથોસાથ મુસ્લિમ જાતિઓની ગણતરી પર પણ સૌની નજરો ટકેલી છે. મુસ્લિમ ઓબીસી સમુદાયના લોકો જાતિના આધારે મુસ્લિમોની જનગણના કરાવવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે મુસ્લિમના નામે તમામ સુખ સુવિધાનો લાભ મુસ્લિમ સમાજની કેટલીક ઉચ્ચ જાતિઓને મળી રહ્યા છે. એવામાં મુસ્લિમ ઓબીસી જાતિઓની સ્થિતિ હિંદુઓથી પણ ખરાબ છે. હવે જનગણના દ્વારા સાચા આંકડા સામે આવી શકશે ખરા? 

અતિ પછાત હિંદુઓ કરતા પણ બદ્દતર સ્થિતિમાં જીવે છે પસમાંદા મુસ્લિમો... શું મોદી સરકાર મુસ્લિમોની પણ જાતિ આધારીત વસતી ગણતરી કરાવશે?
| Updated on: May 01, 2025 | 6:15 PM

દેશમાં આખરે જાતિગત વસ્તી ગણતરીનો માર્ગ મોકળો થયો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં બુધવારે(30.04.2025) મળેલી કેબિનેટમાં જાતિગત જનગણના કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઝાદી બાદ દેશમાં પ્રથમવાર તમામ જાતિઓની ગણતરીનું કામ હાથ ધરાશે. જાતિગત જનગણનાથી જોડાયેલા મામલામાં માત્ર હિંદુ ધર્મની પેટા જાતિઓનો ઉલ્લેખ થઈ રહ્યો છે. જ્યારે અન્ય ધર્મનો કોઈ ઉલ્લેખ નથી એવામાં હવે સવાલ એ ઉઠે છે કે શું મોદી સરકાર માત્ર હિંદિઓની જાતિઓની ગણતરી કરશે કે મુસ્લિમોમાં આવતી વિવિધ પેટાજાતિઓનો પણ ડેટા મેળવશે? આઝાદી બાદ ભારતે જ્યારે વર્ષ 1951માં પહેલી જનગણના કરી તો માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે જોડાયેલા લોકોને જાતિના નામ પર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લઘુમતી સમુદાયના આંકડા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારત સરકારે એક નીતિગત નિર્ણય અંતર્ગત જાતિ આધારીત વસ્તી ગણતરીથી કિનારો કર્યો હતો. પરંતુ સમયની સાથે માગ ઉઠવા લાગી. પરિસ્થિતિ ત્યારે વધુ બદલાઈ જ્યારે 80ના દાયકામાં અનેક ક્ષેત્રિય રાજનીતિ દળોનો રાજકીય ઉદય થયો અને તેમની રાજનીતિ સંપૂર્ણ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો