રેલવે મંત્રાલય તરફથી 12 મે અને 1 જૂનથી શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ રાજધાની અને મેલ એક્સપ્રેસને લઈ નિર્દેશોમાં ફેરફાર કર્યા છે. રેલવે મંત્રાલયે આ ટ્રેનોના એડવાન્સ રિજર્વેશન પીરિયડને 30 દિવસથી વધારી 120 દિવસ કરી દીધો છે. રેલવેએ 30 સ્પેશિયલ રાજધાની અને 200 મેલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે.
તે સિવાય આ તમામ 230 ટ્રેનમાં પાર્સલ અને સામાનની બુકિંગની પરવાનગી હશે. ટ્રેનને લઈ બીજી શરતો જેવી કે કરન્ટ બુકિંગ, તત્કાલ કોટા વગેરે રેગ્યુલર ચાલનારી ટ્રેનોની જેમ જ લાગૂ હશે. રેલવે મંત્રાલય તરફથી કરવામાં આવેલા આ ફેરફાર 31 મે 8 વાગ્યાથી શરૂ થયેલી ટિકિટ બુકિંગ પર લાગુ કરવામાં આવશે. આ નિર્દેશોને ભારતીય રેલવેની વેબસાઈટ પર પણ જોઈ શકાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રેલવે મુજબ આ ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોને કોરોનાથી બચાવ માટે લાગૂ કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરને ફોલો કરવી પડશે. જે આ પ્રકારે છે.
1. તમામ યાત્રીઓને બોર્ડિંગ સ્ટેશન પર સ્ક્રીનિંગથી પસાર થવું પડશે.
2. જે મુસાફરોમાં કોરોનાના લક્ષણ નહીં હોય માત્ર તેને જ મુસાફરીની પરવાનગી મળશે.
3. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તે ઘરેથી ચાદર લઈને નીકળે.
4. તમામ મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અનિવાર્ય રહેશે.
5. ફેસ કવર કે ફેસ માસ્કનો ઉપયોગ પણ જરૂરી છે.
6. મુસાફરોને ટ્રેનના સમયથી 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચી જવું પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 7:22 am, Fri, 29 May 20