Me Too: પ્રિયા રામાની સામે MJ Akbarનાં માનહાનિના કેસમાં 17મી ફેબ્રુઆરીએ ચુકાદો

|

Feb 16, 2021 | 10:17 PM

Me Too:  લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી, દિલ્હી કોર્ટ એમ.જે.અકબરની પ્રિયા રામાણી વિરુદ્ધ માનહાનિ કેસમાં બુધવારે, 17 ફેબ્રુઆરીએ ચુકાદો સંભળાવશે. ઓક્ટોબર, 2018 માં રામાણીએ તત્કાલીન કેન્દ્રીય પ્રધાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

Me Too: પ્રિયા રામાની સામે MJ Akbarનાં માનહાનિના કેસમાં 17મી ફેબ્રુઆરીએ ચુકાદો

Follow us on

Me Too:  લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી, દિલ્હી કોર્ટ એમ.જે.અકબરની પ્રિયા રામાની વિરુદ્ધ માનહાનિ કેસમાં બુધવારે, 17 ફેબ્રુઆરીએ ચુકાદો સંભળાવશે. ઓક્ટોબર, 2018 માં રામાનીએ તત્કાલીન કેન્દ્રીય પ્રધાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

ઓક્ટોબર 2018 થી ફેબ્રુઆરી 2021 સુધી સુનાવણીની સમયરેખા

2018 માં Me too કેમ્પેન પછી સોશિયલ મીડિયા પર તોફાન સર્જાયું હતું. આ અભિયાનના ભાગ રૂપે ઘણી સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમના જાતીય સતામણી વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વર્ષ 2018 માં પત્રકાર પ્રિયા રામાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

2018 માં Me too કેમ્પેન પછી સોશિયલ મીડિયા પર તોફાન સર્જાયું હતું. આ અભિયાનના ભાગ રૂપે ઘણી સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમના જાતીય સતામણી વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વર્ષ 2018 માં પત્રકાર પ્રિયા રામાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. આ અંગે અકબરે રામાની સામે માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસમાં દિલ્હીની કોર્ટ બુધવારે 17 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો આપી શકે છે.

શું હતો મામલો
સોશિયલ મીડિયામાં વર્ષ 2018માં Me too કેમ્પેને જોર પકડ્યું હતું. જેમાં પત્રકાર પ્રિયા રામાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર આ કેમ્પેનમાં જ જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. જેની સામે એમ.જે. અકબરે પ્રિયા રામાની પર માનહાનીનો દાવો કર્યો હતો. આ કેસની પહેલી સુનાવણી 10 એપ્રિલ 2019માં થઇ હતી. આ કેસની આજે સુનાવણી થવાની હતી જે હવે 17 તારીખ પર ટળી ગઈ છે.

દલીલો પૂર્ણ
અકબર અને રામાનીના વકીલો તરફથી દલીલો પૂરી થયા બાદ 1 મે ફેબ્રુઆરીના રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે આ ચુકાદો સુરક્ષિત કરી દીધો હતો. અકબરે કોર્ટમાં મહિલા પત્રકાર પર આરોપ લગાવ્યો હતો કે રામાનીએ તેની પ્રતિષ્ઠાને ડામવા માટે 20 વર્ષ પછી તેણે ખોટા આક્ષેપો કર્યા છે. જો તેની સાથે જાતિય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, તો તે આટલા વર્ષો સુધી શા માટે મૌન રહ્યા? આ સિવાય તે ક્યારે અને ક્યાં જાતીય શોષણ થયું તે અંગે કોઈ પુરાવા રજૂ નથી કરી શક્યા. તેમજ આ ઘટના અંગે કોઈ સાક્ષી નથી. આવા કિસ્સામાં તેમને માનહાનિના આરોપમાં સજા થવી જોઈએ.

Next Article