AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદ અને પૂરની સ્થિતિના કારણે અનેક ટ્રેનો થઈ રદ, મુસાફરી કરતા પહેલા જોઈ લેજો આ યાદી

રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર દેશના ઘણા ભાગોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. જેના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે 600થી વધુ એક્સપ્રેસ ટ્રેનો અને 500થી વધુ પેસેન્જર ટ્રેનોની સેવા પ્રભાવિત થઈ છે.

વરસાદ અને પૂરની સ્થિતિના કારણે અનેક ટ્રેનો થઈ રદ, મુસાફરી કરતા પહેલા જોઈ લેજો આ યાદી
Many trains canceled due to rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 11:56 AM
Share

ઉત્તર ભારતમાં ભારે વરસાદ બાદ હવે પૂરનો કહેર યથાવત છે. જેના કારણે ભારતીય રેલવેના સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. રેલવે ટ્રેક બાદ પૂરના પાણી સ્ટેશનો અને પ્લેટફોર્મ પર પહોંચી ગયા છે. જેના કારણે ભારતીય રેલવેએ 7 જુલાઈથી સેંકડો ટ્રેનો રદ કરી છે. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, 7 થી 15 જુલાઈની વચ્ચે રેલ્વે ટ્રેક અને સ્ટેશનો પર પાણી ભરાવાને કારણે 300 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. તે જ સમયે, 406 પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. જો તમે પણ આ દરમિયાન મુસાફરી કરવા જઈ રહ્યા હોવ, તો તમે અહીં રદ્દ થયેલી ટ્રેનોની યાદી જોઈ શકો છો.

પાટા પર પાણી ભરાવાને કારણે ટ્રેનો રદ કરાઈ

રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર દેશના ઘણા ભાગોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. જેના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે 600થી વધુ એક્સપ્રેસ ટ્રેનો અને 500થી વધુ પેસેન્જર ટ્રેનોની સેવા પ્રભાવિત થઈ છે. રાજધાની દિલ્હીમાં પણ રસ્તાઓ, ગટરોમાં પાણી ભરાયા બાદ રેલવે ટ્રેક અને સ્ટેશનોમાં પૂરના પાણી આવવા લાગ્યા છે. જેના કારણે રેલવેએ ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

વરસાદના કારણે આ ટ્રેનો રદ

  • ટાટાનગર-ઈટાવરી એક્સપ્રેસ
  • દુર્ગ-ભોપાલ એક્સપ્રેસ
  • જમ્મુ તાવી – હાવડા હિમગીરી એક્સપ્રેસ
  • ગુવાહાટી-ઉદયપુર એક્સપ્રેસ
  • સહરસા-અમૃતસર એક્સપ્રેસ
  • બરૌની-જમ્મુ તાવી એક્સપ્રેસ
  • ગોરખપુર-અમૃતસર એક્સપ્રેસ
  • કામાખ્યા-વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ
  • સમસ્તીપુર-અમૃતસર એક્સપ્રેસ
  • આનંદ વિહાર-બરૌની એક્સપ્રેસ આ ટ્રેનો સહિત, 300 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 400 થી વધુ પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. તમે ભારતીય રેલવેની IRCTC હેલ્પ વેબસાઈટના કેન્સલ ટ્રેન લિસ્ટ સેક્શનમાં રદ થયેલી ટ્રેનો વિશેની માહિતી જોઈ શકો છો.

આ રીતે મેળવી શકો છો રિફંડ

જો તમે રેલવે ટિકિટ ઓનલાઈન બુક કરાવી હોય તો તમારે તેના રિફંડની ચિંતા કરવાની જરૂર નથી. જો ટ્રેન કેન્સલ થાય છે, તો તમારી ટિકિટના પૈસા આપમેળે સ્ત્રોત ખાતામાં આવી જશે. આ માટે તમારે કંઈ કરવાની જરૂર નથી. રેલવે રિફંડ માટે 7-8 કામકાજના દિવસોનું વચન આપે છે પરંતુ સામાન્ય રીતે મોટાભાગના લોકોને 2-3 દિવસમાં રિફંડ મળી જાય છે. તે જ સમયે, કાઉન્ટર પરથી લીધેલી ટિકિટમાંથી રિફંડ માટે, તમારે TDR ફાઇલ કરવું પડશે. આ પછી તમને 3-7 દિવસમાં તમારું રિફંડ મળી જશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
g clip-path="url(#clip0_868_265)">