AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann ki bat : આજે પીએમ મોદી ફરી કરશે મન કી બાત, 100 કરોડ વેક્સિનેશન ડોઝને લઈને કહી શકે છે વાત

PM Modi Mann Ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. આ રેડિયો કાર્યક્રમનો આ 82 મો એપિસોડ હશે.

Mann ki bat : આજે પીએમ મોદી ફરી કરશે મન કી બાત, 100 કરોડ વેક્સિનેશન ડોઝને લઈને કહી શકે છે વાત
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:53 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) આજે સવારે 11 વાગ્યે મન કી બાત (Mann ki bat) કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરશે. આ મન કી બાતનો 82 મો એપિસોડ હશે. તેમનો કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશે 100 કરોડથી વધુ ડોઝ આપીને રસીકરણમાં ઈતિહાસ રચ્યો છે. 

આ કાર્યક્રમ દરમિયાન રસીકરણ ઉપરાંત વડાપ્રધાન આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને લોકોને કોવિડ નિયમોનું પાલન કરવા માટે પણ કહી શકે છે. મન કી બાતનો છેલ્લો એપિસોડ 26 સપ્ટેમ્બરે પ્રસારિત થયો હતો જ્યારે પીએમ મોદી અમેરિકાથી સ્વદેશ પરત ફર્યા હતા.

વર્ષ 2014માં ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. મન કી બાતના કાર્યક્રમમાં તેઓ મોટાભાગે દેશના વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરે છે. તે સામાન્ય જનતાની વાત કરે છે. તેઓ લોકોને તેમના અનુભવો દ્વારા માર્ગદર્શન પણ આપે છે. અત્યાર સુધી પીએમ મોદી આ કાર્યક્રમ દ્વારા 81 વખત દેશવાસીઓને સંબોધિત કરી ચૂક્યા છે.

મન કી બાત કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશભરના લોકોના અભિપ્રાય જાણવા માંગે છે. તેઓ વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રિત કરે છે. તેઓ તેમના કાર્યક્રમમાં વધુ સારા અને પસંદ કરેલા સૂચનોનો પણ સમાવેશ કરે છે. તમે તમારો મુદ્દો પીએમ મોદી સુધી પણ પહોંચાડી શકો છો.

આવી રીતે આપી શકો છો અભિપ્રાય આ કાર્યક્રમમાં, પીએમ મોદી વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રણ આપતા રહે છે અને બાદમાં તેમના કાર્યક્રમ દ્વારા ઘણાનો ઉલ્લેખ કરે છે. તમે નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા સૂચનો મોકલી શકો છો.

આ ઉપરાંત, mygov.in પર આપવામાં આવેલી માહિતી મુજબ, તમે 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકો છો અને SMS માં પ્રાપ્ત લિંકને અનુસરીને તમારા સૂચનો સીધા જ વડાપ્રધાનને આપી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1800-11-7800 ડાયલ કરીને તમારા સૂચનો પણ રેકોર્ડ કરી શકો છો.

આ પણ વાંચો : Animal Husbandry: લ્યો બોલો ! IVF ટેક્નિકથી ભારતમાં પહેલી વાર ભેંસે આપ્યો વાછરડાને જન્મ

આ પણ વાંચો :India-Pak મેચ પહેલા છવાઇ મૌકા-મૌકાની જાહેરાત, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી ખૂબ મજા

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">