Mann ki bat : આજે પીએમ મોદી ફરી કરશે મન કી બાત, 100 કરોડ વેક્સિનેશન ડોઝને લઈને કહી શકે છે વાત

PM Modi Mann Ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. આ રેડિયો કાર્યક્રમનો આ 82 મો એપિસોડ હશે.

Mann ki bat : આજે પીએમ મોદી ફરી કરશે મન કી બાત, 100 કરોડ વેક્સિનેશન ડોઝને લઈને કહી શકે છે વાત
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:53 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) આજે સવારે 11 વાગ્યે મન કી બાત (Mann ki bat) કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરશે. આ મન કી બાતનો 82 મો એપિસોડ હશે. તેમનો કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશે 100 કરોડથી વધુ ડોઝ આપીને રસીકરણમાં ઈતિહાસ રચ્યો છે. 

આ કાર્યક્રમ દરમિયાન રસીકરણ ઉપરાંત વડાપ્રધાન આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને લોકોને કોવિડ નિયમોનું પાલન કરવા માટે પણ કહી શકે છે. મન કી બાતનો છેલ્લો એપિસોડ 26 સપ્ટેમ્બરે પ્રસારિત થયો હતો જ્યારે પીએમ મોદી અમેરિકાથી સ્વદેશ પરત ફર્યા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વર્ષ 2014માં ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. મન કી બાતના કાર્યક્રમમાં તેઓ મોટાભાગે દેશના વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરે છે. તે સામાન્ય જનતાની વાત કરે છે. તેઓ લોકોને તેમના અનુભવો દ્વારા માર્ગદર્શન પણ આપે છે. અત્યાર સુધી પીએમ મોદી આ કાર્યક્રમ દ્વારા 81 વખત દેશવાસીઓને સંબોધિત કરી ચૂક્યા છે.

મન કી બાત કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશભરના લોકોના અભિપ્રાય જાણવા માંગે છે. તેઓ વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રિત કરે છે. તેઓ તેમના કાર્યક્રમમાં વધુ સારા અને પસંદ કરેલા સૂચનોનો પણ સમાવેશ કરે છે. તમે તમારો મુદ્દો પીએમ મોદી સુધી પણ પહોંચાડી શકો છો.

આવી રીતે આપી શકો છો અભિપ્રાય આ કાર્યક્રમમાં, પીએમ મોદી વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રણ આપતા રહે છે અને બાદમાં તેમના કાર્યક્રમ દ્વારા ઘણાનો ઉલ્લેખ કરે છે. તમે નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા સૂચનો મોકલી શકો છો.

આ ઉપરાંત, mygov.in પર આપવામાં આવેલી માહિતી મુજબ, તમે 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકો છો અને SMS માં પ્રાપ્ત લિંકને અનુસરીને તમારા સૂચનો સીધા જ વડાપ્રધાનને આપી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1800-11-7800 ડાયલ કરીને તમારા સૂચનો પણ રેકોર્ડ કરી શકો છો.

આ પણ વાંચો : Animal Husbandry: લ્યો બોલો ! IVF ટેક્નિકથી ભારતમાં પહેલી વાર ભેંસે આપ્યો વાછરડાને જન્મ

આ પણ વાંચો :India-Pak મેચ પહેલા છવાઇ મૌકા-મૌકાની જાહેરાત, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી ખૂબ મજા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">