AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence : વિપક્ષના પ્રતિનિધિમંડળે મણિપુરની વર્ણવી સ્થિતિ, એક હોલમાં 500 હિંસા પીડિતો, ખાવા માટે માત્ર દાળ-ભાત, શૌચાલય પણ નથી, જુઓ Video

Opposition delegation visits Manipur : વિપક્ષી ગઠબંધનના પ્રતિનિધિઓ મણિપુરમાં રાજ્યપાલને મળ્યા છે. રાજ્યપાલે સૂચન કર્યું છે કે મણિપુરની પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.

Manipur Violence : વિપક્ષના પ્રતિનિધિમંડળે મણિપુરની વર્ણવી સ્થિતિ, એક હોલમાં 500 હિંસા પીડિતો, ખાવા માટે માત્ર દાળ-ભાત, શૌચાલય પણ નથી, જુઓ Video
Opposition delegation visits Manipur
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 12:51 PM
Share

મણિપુરમાં હિંસાની સ્થિતિ જાણવા માટે વિપક્ષી ગઠબંધનનું પ્રતિનિધિમંડળ મણિપુર રાજ્યના પ્રવાસે છે. તમામ સાંસદો બે દિવસીય પ્રવાસ માટે શનિવારે મણિપુર પહોંચ્યા હતા. દિલ્હીથી રવાના થયેલા 21 સાંસદો પહેલા હિંસા પ્રભાવિત લોકો પાસે ગયા અને તેમને રાહત શિબિરમાં મળ્યા. આ પછી, પ્રતિનિધિમંડળ મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યું અને મેમોરેન્ડમ સોંપ્યું. લગભગ 30 મિનિટ સુધી ચાલેલી આ બેઠક બાદ સાંસદોએ કહ્યું છે કે મણિપુરને લઈને દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવશે, સાથે જ આ મુદ્દો સંસદમાં ફરીથી ઉઠાવવામાં આવશે.

અધીર રંજન ચૌધરીએ મણિપુરના રાજ્યપાલને મળ્યા બાદ મીડિયાને સંબોધતા કહ્યું, “રાજ્યપાલે સૂચન કર્યું છે કે મણિપુરની પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે દરેકે સાથે મળીને કામ કરવું જોઈએ”. તેમણે કહ્યું કે વિપક્ષ મણિપુર મુદ્દે સંસદમાં કેન્દ્ર સરકાર પર દબાણ બનાવશે. સરકારને અપીલ કરતાં અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેઓ અમારો અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકારે અને મણિપુર મુદ્દે ચર્ચા કરે.

‘એક હોલમાં 400-500 લોકો રહે છે’

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ના પ્રતિનિધિમંડળમાંથી એક કોંગ્રેસના સાંસદ ફૂલદેવી નેતામે, મણિપુરની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે રાહત શિબિરમાં એક જ હોલમાં 400-500 લોકો રહે છે. લોકોને રાહત અને બચાવ માટે રાજ્ય સરકાર માત્ર દાળ અને ચોખા જ આપી રહી છે. તેમણે કહ્યું, “બાળકોને આખો દિવસ ખાવા માટે કંઈ મળતું નથી, ટોયલેટ કે બાથરૂમની સુવિધા પણ સારી નથી. રાહત શિબિરમાં લોકો જે રીતે જીવી રહ્યા છે તે ખૂબ જ હ્રદયસ્પર્શી છે.”

મણિપુર પ્રવાસે ગયેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ રાજ્યમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે રાજ્યની અવગણના કરવામાં આવી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે મણિપુરની અવગણના કરી, તેથી મણિપુરની સ્થિતિ વણસી ગઈ. તેઓ રાજ્યપાલને મળ્યા અને રાજ્યની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી.

રાજ્યપાલને મળ્યા પહેલા આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું હતુ કે, તેઓ રાજ્યપાલને રાજ્યમાં ન્યાય અને શાંતિ સ્થાપિત કરવા માટે વિનંતી કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે રાજ્યપાલને એક મેમોરેન્ડમ આપશે. રાજ્યપાલને મળવા પહોંચેલી તૃણમૂલ કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવે મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

સુષ્મિતા દેવે કહ્યું, “મણિપુરમાં સ્થિતિ સારી નથી, અમે રાજ્યપાલને મળીશું અને તેમને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે અપીલ કરીશું અને તેમને સંયુક્ત મેમોરેન્ડમ પણ સુપરત કરીશું. આ સિવાય અમે રાજ્યપાલને વિનંતી કરીશું કે તેઓ મણિપુર રાજ્યની વર્તમાન સ્થિતિ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને જણાવે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">