Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur: રાહુલ ગાંધીએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત, કહ્યું- મણિપુરમાં શાંતિની જરૂર, રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકનો અભાવ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું, રાજ્યને આ સમયે શાંતિની જરૂર છે, હિંસાથી કંઈ થશે નહીં.

Manipur: રાહુલ ગાંધીએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત, કહ્યું- મણિપુરમાં શાંતિની જરૂર, રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકનો અભાવ
Rahul Gandhi Manipur Visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 6:14 PM

Imphal: મણિપુરમાં હિંસા (Manipur Violence) ફાટી નીકળ્યાને બે મહિના વીતી ગયા છે, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ તંગ છે. રાજ્યમાં હિંસાથી પ્રભાવિત હજારો લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) મણિપુરની બે દિવસની મુલાકાતે છે અને આજે બીજા દિવસે તેમણે મોઇરાંગમાં ઘણી રાહત શિબિરોની મુલાકાત લીધી અને હિંસાથી પ્રભાવિત લોકોને પણ મળ્યા હતા.

હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું, રાજ્યને આ સમયે શાંતિની જરૂર છે, હિંસાથી કંઈ થશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં રાહત શિબિરમાં સુધારો કરવાની જરૂર છે, ખોરાક અને દવાઓની અછત છે. સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ.

શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?
Plant in pot : ગુલાબનો છોડ સુકાઈ રહ્યો છે ? આ સરળ ટીપ્સ અપનાવો ફુલ નહીં ખુટે

રાહુલ ગાંધીએ રાહત શિબિરોની મુલાકાત લીધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મોઇરાંગમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કીશમ મેઘચંદ્રએ આજે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી રાહત શિબિરોની મુલાકાત લેશે અને હિંસાથી પ્રભાવિત લોકોને મળશે. આ પછી તે રાજધાની ઇમ્ફાલ પરત ફરશે. ઇમ્ફાલમાં રાહુલ ગાંધી 10 સમાન વિચારધારા ધરાવતા પક્ષના નેતાઓ, યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC)ના નેતાઓ અને સિવિલ સોસાયટીના સભ્યોને મળશે.

ગઈકાલે ચુરાચંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી

આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા હતા. તેએઓ ગઈકાલે ચુરાચંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી, જે રાજ્યમાં બે મહિના સુધી ચાલેલી વંશીય હિંસામાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાંથી એક છે.

આ પણ વાંચો : Uttarkashi: જોશીમઠ બાદ હવે ઉત્તરકાશીમાં ખતરો, મસ્તડી ગામના 30 ઘરોમાં તિરાડો જોવા મળી

ચુરાચંદપુરમાં રાહત શિબિરોમાં રાહુલ ગાંધીની મુલાકાતને લઈને ગઈકાલે ભારે હોબાળો થયો હતો. ગઈકાલે, જ્યારે કોંગ્રેસ નેતા તેમના કાફલા સાથે જઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક પોલીસે તેમને બિષ્ણુપુરમાં અધવચ્ચે અટકાવ્યા હતા. જેના કારણે કોંગ્રેસના કાર્યકરોએ પણ હોબાળો મચાવ્યો હતો. તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">