AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terrorist Attack: મેડ ઈન ચાઈનાના હથિયારો, આતંકવાદી પાકિસ્તાનના, બંને પડોશી દેશો ભારત વિરુદ્ધ સક્રિય, જાણો ભારતની તૈયારી

આતંકવાદીઓ હવે નક્સલવાદીઓની રીતે સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે. તેનું જીવંત ઉદાહરણ અનંતનાગમાં બનેલી આતંકવાદી ઘટના છે. થોડા સમય પહેલા પૂંછમાં આતંકી હુમલો થયો હતો, જેમાં સેનાના એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી જે તસવીરો સામે આવી રહી છે તે પણ સાબિત કરે છે કે આતંકવાદીઓ એક ગ્રુપ દ્વારા ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Terrorist Attack: મેડ ઈન ચાઈનાના હથિયારો, આતંકવાદી પાકિસ્તાનના, બંને પડોશી દેશો ભારત વિરુદ્ધ સક્રિય, જાણો ભારતની તૈયારી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 9:58 AM
Share

Terrorist Attack: પાકિસ્તાન ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પીઓકેમાં છુપાયેલા આતંકવાદીઓના જુદા જુદા ગ્રુપ વિશે માહિતી એકત્રિત કરી છે, જેઓ ઘૂસણખોરી માટે યોગ્ય તક શોધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી જે તસવીરો સામે આવી રહી છે તે પણ સાબિત કરે છે કે આતંકવાદીઓ એક ગ્રુપ દ્વારા ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Pakistan News: શું પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ મહિલાઓને ગુલામ સમજે છે? મિસ યુનિવર્સ પર થયો હોબાળો

‘મેડ ઇન ચાઇનાના હથિયારો દ્વારા આતંકવાદી ષડયંત્ર

પાકિસ્તાની સેના ‘મેડ ઈન ચાઈના’ હથિયારોની મદદથી સરહદ પર એક મોટું આતંકવાદી ષડયંત્ર રચી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાન સેના પીઓકેના લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકીઓને એકઠા કરી રહી છે. પાકિસ્તાની સેના આ આતંકવાદીઓને મદદ કરી રહી છે.

આટલું જ નહીં, પાક આર્મી લોન્ચપેડની નજીક કોંક્રીટના બંકરો બનાવી રહી છે અને આ બંકરોમાં આતંકવાદીઓને છુપાવી રહી છે. જેથી કરીને ભારતીય સેનાની તેમની નજર ન પડે અને આ આતંકવાદીઓ ઘણા દિવસો સુધી આ બંકરોમાં છુપાઈને રહી શકે.

હવે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે તેમની પેટર્ન પણ બદલી છે. હવે આ આતંકવાદીઓ અચાનક હુમલો કરી રહ્યા છે.

આતંકવાદીઓ હવે નક્સલવાદીઓની પદ્ધતિઓ અપનાવીને સશસ્ત્ર દળોને નિશાન બનાવી રહ્યા છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ અનંતનાગમાં બનેલી આતંકવાદી ઘટના છે. હાલમાં જ પૂંછમાં આતંકી હુમલો થયો હતો, જેમાં આતંકીઓએ સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું.

આતંકવાદીઓની નવી પેટર્ન સામે લડવા માટે ભારતની તૈયારી?

CRPFના કોબ્રા કમાન્ડોની પ્રથમ બેચ કુપવાડામાં તૈનાત કરવામાં આવી છે. આ બેચને પહેલીવાર જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કોબરા કમાન્ડોની પ્રથમ બેચે જમ્મુ અને કાશ્મીરના જંગલોમાં તાલીમ પૂર્ણ કરી છે અને તેને કુપવાડામાં તૈનાત કરવામાં આવી છે. આ પ્રથમ વખત છે જ્યારે માઓવાદી બળવાખોરો સામે લડવા માટે 2009માં રચાયેલી કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (કોબ્રા)ને મધ્ય અને પૂર્વ ભારતમાંથી હટાવીને જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવી છે.

બિહાર અને ઝારખંડમાંથી કેટલીક કોબ્રા કંપનીઓ આંશિક રીતે પાછી ખેંચી લેવામાં આવી છે કારણ કે ત્યાં નક્સલી હિંસાના કેસમાં ઘટાડો થયો હતો. છ મહિના પહેલા જમ્મુ-કાશ્મીરના જંગલોમાં તેની ટ્રેનિંગ શરૂ થઈ હતી. હવે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને તેમને કુપવાડામાં તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઓપરેશનમાં તેમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

TV 9ને મળેલી માહિતી મુજબ હવે સેના એવા હથિયારો પર કામ કરી રહી છે, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ખૂબ જ સરળ છે. તેમાં એવી તોપો અને રોકેટ પ્રણાલીઓનો સમાવેશ કરવામાં આવશે જે ઉચ્ચ ગતિશીલતા ધરાવે છે એટલે કે જે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. આનો અર્થ એ છે કે દળો હવે એવી બંદૂકો અને હથિયારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે વજનમાં ઓછા હોય અને કોઈપણ ભૂપ્રદેશમાં ઉપયોગમાં લઈ શકાય. ઉપરાંત, તેઓ આતંકવાદીઓ અને દૂર બેઠેલા દુશ્મનોને નિશાન બનાવી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">