બિહારના કેટલાક નેતાઓને લાગ્યો ઝટકો, NDAએ જાહેર કરી ઉમેદવારોની યાદી, મોટા દિગ્ગજોના નામ કપાયા જાણો શત્રુધ્ન સિંહાની સાથે શું થયું?
NDAએ લોકસભા ચૂંટણી 2019 માટે બિહારની 40 સીટો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપ અને JDU 17-17 સીટો પર જ્યારે રામવિલાસ પાસવાનની LJP પાર્ટી 6 સીટ પર ચૂંટણી લડશે. બિહારની 40 લોકસભા સીટો માટે NDAએ તેમના 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પટના સાહિબથી શત્રુધ્ન સિંહાની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ કેન્દ્રીય […]
NDAએ લોકસભા ચૂંટણી 2019 માટે બિહારની 40 સીટો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપ અને JDU 17-17 સીટો પર જ્યારે રામવિલાસ પાસવાનની LJP પાર્ટી 6 સીટ પર ચૂંટણી લડશે.
બિહારની 40 લોકસભા સીટો માટે NDAએ તેમના 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પટના સાહિબથી શત્રુધ્ન સિંહાની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ટિકિટ આપવામાં આવી છે. નવાદાથી ગિરીરાજ સિંહની જગ્યાએ LJPના ચંદન કુમારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાગલપુરથી શાહનવાજ હુસેનને ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ JDUના અજય કુમાર મંડલ NDAના ઉમેદવાર બન્યા છે.