Budget Session: સર્વપક્ષીય બેઠકમાં મોટો નિર્ણય, બજેટ પર 12 કલાક અને રાષ્ટ્રપતિના સંબોધન પર 12 કલાક થશે ચર્ચા

લોકસભાની (Lok Sabha) વ્યવસાય સલાહકાર સમિતિએ સોમવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે 12 કલાક અને બજેટ (Budget) પર ચર્ચા માટે 12 કલાક ફાળવવામાં આવ્યા છે.

Budget Session: સર્વપક્ષીય બેઠકમાં મોટો નિર્ણય, બજેટ પર 12 કલાક અને રાષ્ટ્રપતિના સંબોધન પર 12 કલાક થશે ચર્ચા
Parliament Budget Session - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 7:26 PM

લોકસભાની (Lok Sabha) વ્યવસાય સલાહકાર સમિતિએ સોમવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે 12 કલાક અને બજેટ (Budget) પર ચર્ચા માટે 12 કલાક ફાળવવામાં આવ્યા છે. સૂત્રોએ સમાચાર એજન્સી ANIને આ અંગે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા બુધવારથી શરૂ થશે. એવી શક્યતા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે ચાર દિવસ રાખવામાં આવ્યા છે, જે 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કરી હતી જેમાં અનેક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બેઠકનો હેતુ માત્ર એટલો જ છે કે બજેટ સત્ર સુચારુ રીતે ચાલી શકે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે ઘણા પક્ષોએ પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો છે. અમે સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી આ મામલાની તપાસ કરી રહી છે અને બજેટ સત્રના પહેલા ભાગમાં બજેટ સંબંધિત મુદ્દાઓ ઉઠાવવામાં આવે.

તમામ પક્ષોના નેતાઓ ગૃહની કાર્યવાહીમાં સહકાર આપે- ઓમ બિરલા

બજેટ સત્ર પહેલા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ આજે સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન ઓમ બિરલાએ કહ્યું, બધા પક્ષોના નેતાઓએ આશ્વાસન આપ્યું છે કે બજેટ સત્રમાં ગૃહની કાર્યવાહી ચલાવવામાં તમામ સહકાર આપશે. મેં તમામ પક્ષોને વિનંતી કરી કે રાષ્ટ્રપતિના સંબોધન અને બજેટ પર વ્યાપક રીતે ચર્ચા થઈ શકે. આપણે દેશના મુદ્દાઓ ઉઠાવી શકીએ છીએ અને ચર્ચા થઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બુધવારથી શરૂ થશે. સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી, વિવિધ વિભાગોની બજેટ ફાળવણી પર વિચારણા કરવા માટે રજા રહેશે. બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે, જે 8 એપ્રિલ સુધી ચાલશે.

1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લોકસભાની બેઠક મળશે અને તે દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. 2 ફેબ્રુઆરીથી લોકસભાની કાર્યવાહી સાંજે 4 થી 9 વાગ્યા સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન કુલ 29 બેઠકો યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં 10 બેઠકો અને બીજા તબક્કામાં 19 બેઠકો યોજાશે.

આ પણ વાંચો : ચૂંટણી પંચે રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો, જો કે ખુલ્લા મેદાનમાંં 1000 લોકોની યોજી શકાશે સભા

આ પણ વાંચો : UP Assembly Election: સમાજવાદી રથ પર સવાર થઈને નોમિનેશન કરવા નીકળ્યા અખિલેશ યાદવ, કહ્યું આ ચૂંટણી લખશે આગામી સદીનો ઈતિહાસ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">