AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ભૂતપૂર્વ આતંકવાદી’ને અશોક ચક્ર !!! આ ચોંકાવનારી પણ સાચી ખબર છે, દેશ માટે આ વીરે આપેલા બલિદાનની ગાથા વાંચી આપની છાતી પણ થઈ જશે પહોળી

જમ્મુ-કાશ્મીરના લાયંસ નાયક નઝીર અહમદ વાની યાદ છે ? કોઈ વાત નહીં, જો વાની આપના મગજમાંથી વિસ્મૃત થઈ ગયા હો, તો અમે આપને યાદ અપાવી દઇએ. Web Stories View more કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર? બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી […]

‘ભૂતપૂર્વ આતંકવાદી’ને અશોક ચક્ર !!! આ ચોંકાવનારી પણ સાચી ખબર છે, દેશ માટે આ વીરે આપેલા બલિદાનની ગાથા વાંચી આપની છાતી પણ થઈ જશે પહોળી
Follow Us:
| Updated on: Jan 24, 2019 | 8:15 AM

જમ્મુ-કાશ્મીરના લાયંસ નાયક નઝીર અહમદ વાની યાદ છે ? કોઈ વાત નહીં, જો વાની આપના મગજમાંથી વિસ્મૃત થઈ ગયા હો, તો અમે આપને યાદ અપાવી દઇએ.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

નઝીર અહમદ વાની હવે બે અંકો વાળા કોઇક સવાલનો ભાગ બની જશે અને આ સવાલનો જવાબ જાણ્યા બાદ આપ આ શૂરવીરને ક્યારેય ભૂલી નહીં શકો.

નઝીર વાની છેલ્લે નવેમ્બર-2018માં ચર્ચામાં આવ્યા હતાં કે જ્યારે તેમણે એક-બે નહીં, પણ પૂરા 6 આતંકીઓ સામે બાથ ભીડતાં શહીદી વહોરી હતી. કેન્દ્ર સરકારે નઝીર વાનીના આ સાહસને સલામ કર્યું છે. સરકારે શહીદ નઝીર વાનીને મરણોપરાંત અશોક ચક્ર પુરસ્કારથી સન્માનવાનો નિર્ણય કર્યો છે. નઝીર વાનીને આ વર્ષે શાંતિ કાળમાં અપાતા ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર માટે પસંદ કરવામાં આવ્યાં છે. નઝીર વાનીને એટલા માટે યાદ રાખવા જોઇએ, કારણ કે તેઓ કાશ્મીરમાં આતંકના માર્ગે ચાલનારાઓમાં મુખ્ય ધારામાં જોડાવાનો આશાવાદ જગાડે છે. વાની પોતે આ વાતની એક નઝીર (દૃષ્ટાંત) છે કે બંદૂકના રસ્તે કોઈ મંજિલ સુધી નથી પહોંચી શકાતું. પછી તે લડાઈ કોઈ કોમ માટે, વિચારધારા માટે કે કોઈ મુલ્ક માટે કેમ ન હોય.

એક સમયે આતંકવાદી હતાં નઝીર વાની

જમ્મુ-કાશ્મીરના કુલગામ તાલુકામાં આવેલા અશ્મૂજી ગામના રહેવાસી નઝીર અહમદ વાની એક સમયે પોતે આતંકવાદી હતાં. વાની જેવાઓ માટે કાશ્મીરમાં ‘ઈખ્વાન’ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. વાની બંદૂક હાથમાં લઈ કોણ જાણે કોના-કોનાથી કઈ-કઈ બાબતોનો બદલો લેવા નિખલ્યા હતાં, પરંતુ થોડાક જ સમયમાં તેમને ભૂલનો અહેસાસ થયો અને તેમણે આતંકવાદનો રાહ છોડ્યો. વાનીએ માત્ર આતંકવાદનો માર્ગ જ નહોતો છોડ્યો, પણ ભારતીય સેનામાં પણ જોડાઈ ગયા હતાં.

6 આતંકીઓને ઘેરી લીધા વાનીએ

23 નવેમ્બર, 2018ના રોજ નઝીર વાની 34મી રાષ્ટ્રીય રાઇફલ્સના સાથીઓ સાથે ડ્યૂટી પર હતાં, ત્યારે ઇન્ટેલિજંસ તરફથી ઇનપુટ મળ્યું કે શોપિયાંના બટાગુંડ ગામે હિઝ્બુલ તથા લશ્કરના 6 આતંકવાદીઓ સંતાયેલા છે. ઇનપુટ આ પણ હતું કે આ આતંકવાદીઓ ભારે પ્રમાણમાં હથિયાર છે. વાની અને તેમની ટીમને આતંકવાદીઓને ભાગવાનો રસ્તો રોકવાની જવાબદારી સોંપવામાં આવી.

રાષ્ટ્રપતિના સચિવ તરફથી જાહેર કરાયેલી પ્રેસ નોટ કહે છે, ‘લાંસ નાયક વાનીએ બે આતંકીઓને મારી નાખ્યા અને પોતાના ઘાયલ સાથીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં અને આ પ્રયત્નમાં જ તેઓ શહીદ થઈ ગયાં. વાની અને તેમની ટીમ તરફથી ખતરો જોઈ આતંકવાદીઓએ ભારે ગોળીબાર શરુ કર્યો અને ગ્રૅનેડ પણ ફેંક્યા. આતંકીઓ બેબાકળા બની ગયા હતાં અને તે જ વખતે વાનીએ એક આતંકવાદીને નજીકથી ગોળી મારી તેનો ખાત્મો બોલાવી દિધો. આ એનકાઉનટરમાં વાની અને તેમના સાથીઓએ કુલ 6 આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. આમાંથી બે આતંકીઓને તો વાનીએ પોતે માર્યા હતાં.’

આ એન્કાઉન્ટરમાં નઝીર વાની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયાં અને હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થઈ ગયું. 26 નવેમ્બરે અંતિમ સંસ્કારથી પહેલા તેમના ગામમાં તેમને 21 તોપોની સલામી અપાઈ.

[yop_poll id=773]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">