લાહુલ-સ્પીટી, સિમલા-મનાલી સહિતના હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે બંધ, હિમાચલ પ્રદેશમાં એપ્રિલ 2021 સુધી રાત્રી કર્ફ્યુ

|

Nov 25, 2020 | 5:41 PM

હિમાચલ પ્રદેશની લાહુલ સ્પીટી વેલીમાં શિયાળા દરમ્યાન પ્રવાસીઓનો ખૂબ ધસારો હોય છે. જો કે, આ વખતે જેમણે ત્યાં જવાનું આયોજન કર્યુ હોય તેમણે પોતાનીએ ટ્રીપને આવનારા 6 મહિના સુધી મુલત્વી રાખવી પડશે. તાજેતરમાં જ સામે આવ્યું છે કે આ વેલી વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને લઈને પ્રવાસીઓની એન્ટ્રી એપ્રિલ 2021 સુધી પ્રતિબંધીત કરી દેવામાં આવી છે. […]

લાહુલ-સ્પીટી, સિમલા-મનાલી સહિતના હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે બંધ, હિમાચલ પ્રદેશમાં એપ્રિલ 2021 સુધી રાત્રી કર્ફ્યુ

Follow us on

હિમાચલ પ્રદેશની લાહુલ સ્પીટી વેલીમાં શિયાળા દરમ્યાન પ્રવાસીઓનો ખૂબ ધસારો હોય છે. જો કે, આ વખતે જેમણે ત્યાં જવાનું આયોજન કર્યુ હોય તેમણે પોતાનીએ ટ્રીપને આવનારા 6 મહિના સુધી મુલત્વી રાખવી પડશે. તાજેતરમાં જ સામે આવ્યું છે કે આ વેલી વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને લઈને પ્રવાસીઓની એન્ટ્રી એપ્રિલ 2021 સુધી પ્રતિબંધીત કરી દેવામાં આવી છે. જેના માટે થઈને બહારથી આવતા પ્રવાસીઓને અટકાવવા શીસુ વિસ્તાર પાસે એક પોલીસ ચેકપોસ્ટ પણ ઉભી કરી દેવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓને સૂચના પણ અપાઈ છે કે તેઓ અટલ ટનલની મુલાકાત લેવાનું પણ ટાળે. એક અધિકારીએ કહ્યું હતું કે લાહુલ સ્પીટી વેલી વિસ્તારમાં સબઝીરો ટેમ્પરેચર, મેડિકલ ફેસેલીટીનો અભાવ અને હાઈ અલ્ટીટ્યુડ જેવા પ્રશ્નો રહે છે. જેના કારણે પ્રવાસીઓને ચેક કર્યા વગર જવા દેવા તો આ વિસ્તારમાં મોટી ખાનાખરાબી સર્જાઈ શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: આઈટી ક્ષેત્રમાં રસ ધરાવનારા આ પોસ્ટ ખાસ વાંચે, જાણો નોકરીની ઉત્તમ તક અને કેટલો મળશે પગાર

 

લોકોની બદલાયેલી લાઈફ સ્ટાઈલના કારણે અને હવામાનમાં ફેરફારના કારણે પણ વાયરસની અસર લોકોને વધુ થઈ શકે છે. મહત્વનું છે કે કીલોંગ વિસ્તારમાં પણ પબ્લીક મેળાવડાને સત્તાતંત્રએ કલમ 144 હેઠળ પ્રતિબંધીત કરી દીધા છે. હિમાચલ સરકારે કોરોનાના કારણે સિમલા, લાહુલ-સ્પીટી, કુલ્લુ અને મંડીમાં રાત્રી કર્ફયુ લગાવી દીધા છે.  જેનો સીધો અર્થ થાય છે કે હોમસ્ટે અને ટુરીસ્ટ એકોમડેશન પણ સ્પીટી વિસ્તારમાં બંધ રહેશે. જ્યારે બીજી બાજુ હિમાચલના અન્ય ભાગોમાં હોટેલ્સ અને ટુરીસ્ટ પ્રોપર્ટી ઓપરેટીવ રહેશે. વેકેશન અને ખાસ તો હોલી ડે સિઝનને જોતા બાર અને રેસ્ટોરન્ટને રિઓપન કરવા માટે હિમાચલ રાજ્યમાં છૂટ અપી છે પણ પૂરા સલામતીના પગલાઓ સખ્તાઈથી અમલ કરવાની શરત સાથે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

 

 

 

Published On - 5:39 pm, Wed, 25 November 20

Next Article