Gujarati NewsNationalKnow what instructions have been given to this 22 politicians by pmo
આ 22 નેતાઓના ફોનની ઘંટડી વાગી, જાણો શપથવિધિને લઈને કોને શું સૂચના આપવામાં આવી
લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત પછી આજે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. સાંજે 7 વાગ્યે તેમના મંત્રીમંડળની સાથે મોદીજીનો શપથ કાર્યક્રમ છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, ત્યારબાદ સંભવિત મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ સંભવિત મંત્રીઓની સાથે મોદીજી આજે […]
લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત પછી આજે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. સાંજે 7 વાગ્યે તેમના મંત્રીમંડળની સાથે મોદીજીનો શપથ કાર્યક્રમ છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, ત્યારબાદ સંભવિત મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ સંભવિત મંત્રીઓની સાથે મોદીજી આજે સાંજે 4.30 વાગ્યે બેઠક કરી શકે છે.
તે સિવાય મોદી કેબિનેટમાં NDA સહયોગીપાર્ટીઓમાંથી એક એક મંત્રીઓને સામેલ કરવામાં આવશે. તેમાં શિવસેના તરફથી અરવિંદ સાવંત મંત્રી બનશે. અકાલી દળ તરફથી હરસિમરત કૌરને ફરીથી મંત્રીની ખુરશી મળશે. અપના દળ તરફથી અનુપ્રિયા પટેલ મંત્રી બની શકે છે.