Kisan Mahapanchayat: આજે કિસાન મહાપંચાયતની બેઠક, કૃષિ કાયદા પરત લેવા 24 તારીખે લાગશે મહોર, ખેડૂતોએ કહ્યું- બાકીના મુદ્દાઓ ઉકેલો, અમે જતા જઈશું

|

Nov 22, 2021 | 7:20 AM

29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કૃષિ કાયદાને રદ્દ કરવાના બિલને મંજૂરી માટે મૂકવામાં આવશે. સરકારે ખેડૂતો વિરૂદ્ધ દાખલ કેસ પરત ખેંચવાની પ્રક્રિયા પણ જલ્દી શરૂ થઈ શકે છે. કેન્દ્રના આ વલણને ધ્યાનમાં રાખીને, ખેડૂત સંગઠનોથી બનેલ સંગઠન યુનાઈટેડ કિસાન મોરચાએ પણ 27 નવેમ્બર સુધી આગળની વ્યૂહરચના પર નિર્ણય લેવાનું ટાળ્યુ છે.

Kisan Mahapanchayat: આજે કિસાન મહાપંચાયતની બેઠક, કૃષિ કાયદા પરત લેવા 24 તારીખે લાગશે મહોર, ખેડૂતોએ કહ્યું- બાકીના મુદ્દાઓ ઉકેલો, અમે જતા જઈશું
Kisan Mahapanchayat (file photo)

Follow us on

કેન્દ્ર સરકાર (Central Government) આગામી બુધવારે મળનારી કેન્દ્રિય કેબિનેટની (Central Cabinet meeting) બેઠકમાં ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટેના બિલને મંજૂરી આપી શકે છે તેમ સરકારી સૂત્રોએ રવિવારે આ માહિતી આપતા જણાવ્યુ હતું. આ પછી, આ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાના બિલને 29 નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં (winter session of Parliament)મંજૂરી માટે મૂકવામાં આવશે.

સરકાર ખેડૂતો વિરૂદ્ધ દાખલ થયેલા વિવિધ કેસ પણ પરત લેવાની પ્રક્રિયા પણ જલ્દી શરૂ કરી શકે છે. કેન્દ્ર સરકારના આ વલણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રના આ વલણને ધ્યાનમાં રાખીને, ખેડૂત સંગઠનોથી બનેલ સંગઠન યુનાઈટેડ કિસાન મોરચાએ પણ 27 નવેમ્બર સુધી આગળની વ્યૂહરચના પર નિર્ણય લેવાનું ટાળ્યુ છે. મોરચાએ કહ્યું છે કે તેના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અગાઉ કરેલ જાહેરાત મુજબ નિર્ધારિત સમયે યોજાશે.

યુનાઇટેડ કિસાન મોરચાએ પીએમને લખ્યો ખુલ્લો પત્ર
રવિવારે દિલ્હીની સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાઈ હતી, જેમાં આંદોલન ચાલુ રાખવા અને અન્ય પાંચ માંગણીઓ પર કેન્દ્ર સરકાર સાથે વાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. પત્રમાં આંદોલનકારી ખેડૂતોની છ માંગણીઓ ઉઠાવવામાં આવી છે. યુનાઇટેડ કિસાન મોરચાએ પીએમને એક ખુલ્લા પત્રમાં લખ્યું છે કે સરકારે તાત્કાલિક ખેડૂતો સાથે વાતચીત શરૂ કરવી જોઈએ.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ખેડૂતોએ તેમના પત્રમાં લખ્યું છે કે વડાપ્રધાને દ્વિપક્ષીય મંત્રણાને બદલે એકતરફી નિર્ણય લીધો છે. જોકે, તેમણે વડાપ્રધાન મોદીની જાહેરાતને આવકારી છે. યુનાઈટેડ કિસાન મોરચાએ કહ્યું કે તમારી સરકારે ત્રણેય કાયદાઓને વહેલામાં વહેલી તકે પાછા ખેંચવાનું વચન પૂરું કરવું જોઈએ. મોરચાએ કહ્યું કે ત્રણ કૃષિ કાયદાઓ રદ્દ કરવા એ ખેડૂતોની એકમાત્ર માંગ નથી. અમારી છ પડતર માંગણીઓ પૂર્ણ થયા બાદ ખેડૂતો તેમના ગામો અને ખેતરોમાં પાછા જશે. સરકારે જલ્દી મંત્રણા કરવી જોઈએ. જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

મોરચાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ 22 નવેમ્બરે લખનૌમાં મહાપંચાયત, 26 નવેમ્બરે તમામ સરહદો પર ખેડૂતોનું એકત્રીકરણ અને 29 નવેમ્બરે સંસદ કૂચનો કાર્યક્રમ જાહેર કરેલો છે. યુનાઈટેડ કિસાન મોરચાનું કહેવુ છે કે “અમે 27 નવેમ્બરે ફરી મળીશું અને ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરીશું,”

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : ઇંધણના ભાવ વધારા ઉપર લાગી બ્રેક પણ કિંમતોમાં વધુ રાહત મળશે? જાણો આજના પેટ્રોલ – ડીઝલમાં લેટેસ્ટ રેટ

આ પણ વાંચોઃ

Corona Vaccine : 4 દેશોમાં કોરોના વેક્સિન કોવિશિલ્ડના 50 લાખ ડોઝ મોકલશે SII, કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી

Next Article