Corona Vaccine : 4 દેશોમાં કોરોના વેક્સિન કોવિશિલ્ડના 50 લાખ ડોઝ મોકલશે SII, કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી

ઓક્ટોબરની શરૂઆતમાં સરકારે SII ને 'વેક્સિન ફ્રેન્ડશિપ' પ્રોગ્રામ હેઠળ નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પ્રત્યેક કોવિડશિલ્ડના 10 લાખ ડોઝની નિકાસ કરવાની મંજૂરી આપી હતી.

Corona Vaccine : 4 દેશોમાં કોરોના વેક્સિન કોવિશિલ્ડના 50 લાખ ડોઝ મોકલશે SII, કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી
Know important things about the booster dose
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 6:33 AM

ભારતમાં કોરોના રસીના 111 કરોડથી વધુ ડોઝ આપી દીધા છે. ભારત સતત રસીકરણ (Corona vaccination) ઉપર ભાર મૂકી રહ્યું છે. 35 ટકા વસ્તી કોરોના મહામારી સામે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.  આ વચ્ચે 4 દેશમાં વેક્સિન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત કોવેક્સ ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ નેપાળ, તાજિકિસ્તાન અને મોઝામ્બિકમાં એન્ટી-કોવિડ-19 રસી કોવિશિલ્ડના 50 લાખ ડોઝની નિકાસ કરવાની મંજૂરી આપી છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે આ ત્રણ દેશો સિવાય SII કોવેક્સ પહેલ હેઠળ બાંગ્લાદેશમાં પણ કોવિશિલ્ડ રસીની નિકાસ કરશે. SII 23 નવેમ્બરથી કોવેક્સ પ્રોગ્રામ હેઠળ કોવિડ રસીની નિકાસ કરવાનું શરૂ કરશે અને નેપાળને 24 નવેમ્બરે કોવિશિલ્ડનું પ્રથમ કન્સાઇનમેન્ટ મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઓક્ટોબરની શરૂઆતમાં સરકારે SII ને ‘વૅક્સીન ફ્રેન્ડશિપ’ પ્રોગ્રામ હેઠળ નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં કોવિશિલ્ડના 10 લાખ ડોઝની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સરકારી અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને તાજેતરમાં લખેલા પત્રમાં માહિતી આપી હતી કે કંપનીએ કોવિશિલ્ડના 24,89,15,000 ડોઝનો સ્ટોક તૈયાર કર્યો છે અને સ્ટોક દિન-પ્રતિદિન વધી રહ્યો છે.

કોવોવેક્સ રસીની નિકાસ માટે પણ મંજૂરી માંગવામાં આવી હતી

આ સાથે જ, SIIએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને કંપનીની કોવોવેક્સ રસીની નિકાસની મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ ઉપરાંત, આ સંદર્ભમાં ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન’ (CDSCO) પાસેથી પણ મંજૂરી માંગવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે જો કોવોવેક્સ રસીને નિકાસ માટે મંજૂરી નહીં મળે તો તેને નુકસાન થઈ શકે છે. SII એ તેની અરજીમાં કહ્યું છે કે મંજૂરી વિના કોવોવેક્સ રસીના એક કરોડ ડોઝ ડિસેમ્બર 2021 સુધીમાં વેડફાઈ જશે.

તે જ સમયે, સીરમે ભારતમાં રસીકરણ માટે કોવોવેક્સ રસીના ઇમરજન્સી ઉપયોગ માટે પણ મંજૂરી માંગી હતી. જો કે સીડીએસસીઓ દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

WHOએ મંજૂર કરેલી 8 કોરોના રસીમાં મોડર્ના, ફાઈઝર-બાયોએનટેક, જોન્સન એન્ડ જોન્સન, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકા, કોવિશિલ્ડ, સિનોફાર્મ, સિનોવાક અને કોવેક્સિનનો સમાવેશ થાય છે.

દેશમાં રસીકરણનો દર વધારવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં હર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યું છે. હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત લોકોને ઘરે ઘરે રસી આપવામાં આવી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

 આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત કિસાન મોર્ચાનો ખુલ્લો પત્ર, આંદોલનકારી ખેડૂતોની 6 માંગણીઓ રજૂ કરી

આ પણ વાંચો : પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને હાંસલ કરવું એ આગામી એજન્ડા: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">