Sabrimala Temple: 17 જુલાઇથી 5 દિવસ માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, જાણો દર્શન માટે શું છે નિયમો
કેરળ હાઈકોર્ટના આદેશ સામે રાજ્યએ ડિસેમ્બર 2020 માં ભારતની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટવ્યો હતો. જેણે ફક્ત 5000 શ્રદ્ધાળુઓને જ પ્રવેશવાની મંજૂરી આપી હતી.
કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિર આજે 17 જુલાઇ શનિવારે પાંચ દિવસ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ મંદિર માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. આ દરમ્યાન દરરોજ 5000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ ભક્તોને દર્શન કરવા માટે મંદિર વ્યવસ્થાપકોએ કડક નિયમો બનાવ્યા છે.
મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તોએ નેગેટિવ RTPCR રિપોર્ટ સુપ્રત કરવો પડશે, ત્યારબાદ જ મંદિર સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ કોરોના ગાઈડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે દર્શન માટે અગાઉથી જ ઓનલાઈન બૂકિંગ કરાવવું પડશે. Online Booking સિવાય દર્શન માટે કોઈ જ વ્યવસ્થા રાખવામા આવી નથી.
Kerala’s Sabarimala temple to be opened for devotees from July 17 to 21 for monthly puja. Devotees with complete COVID vaccination certificates or RTPCR negative report, issued within 48 hrs, will be allowed. Maximum of 5,000 devotees will be allowed through online booking system pic.twitter.com/qvmKoIWjBN
— ANI (@ANI) July 10, 2021
અદાલત સુધી પહોચ્યો હતો મામલો કેરળ હાઈકોર્ટના આદેશ સામે રાજ્યએ ડિસેમ્બર 2020માં ભારતની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટવ્યો હતો, જેણે ફક્ત 5000 શ્રદ્ધાળુઓને જ પ્રવેશવાની મંજૂરી આપી હતી. કેરળ સરકારે પોતાની અરજીમાં કહ્યું હતું કે, પાંચ હજારની મર્યાદિત સંખ્યા રાખવાથી પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય અધિકારીઓ પર પણ ખૂબ દબાણ રહેશે.
ગયા વર્ષના અંતમાં કેરળ પોલીસ અને દેવસ્વોમ બોર્ડે તિર્થયાત્રીઓ માટે એક નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું હતું. જે કોરોના મહામારી દરમ્યાન કોઈ પણ જાતની પરેશાનીઓ વગર વર્ચ્યુયલ ઓનલાઇન, પ્રસાદ, પૂજા, આવાસ, જેવી સેવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે ઓનલાઈન બુકિંગ માટે ભક્તોનો મોબાઈલ નંબર અને એક વેલીડ ઇ-મેલ આઈડી જરૂરી છે.
કેરળમાં શનિવારે 14 હજારથી વધુ કેસ દેશભરના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના કેસમાં ભરખમ ઘટાડો નોંધાય રહ્યો છે, ત્યારે દક્ષિણ ભારતમાં કોરોનાની બીજી લહેરે તેનો પ્રકોપ જાળવી રાખ્યો છે. શનિવારે કેરળમાં નવા 14,087 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણનો આંકડો 30,53,116 એ પહોચ્યો છે. જ્યારે 24 કલાકમાં 109 મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચો: GANDHINAGAR : પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સાયકલ રેલી કાઢી વિરોધ કર્યો
આ પણ વાંચો: Mud Bath: તો આ છે બબીતાની સુંદરતાનું રહસ્ય! જાણો નેચરોપથીમાં ‘કાદવ સ્નાન’ના કેટલા છે ફાયદા