પંડિત જવાહરલાલ નહેરૂ – ઈન્દિરા ગાંધીએ કરેલ ભૂલના કારણે કાશ્મીર મુદો આટલા વર્ષે પણ સળગતો રહ્યોઃ અમિત શાહ

લોકસભામાં ગઈકાલ સોમવારથી ઓપરશન સિંદૂર પર શરૂ થયેલ ચર્ચાનો આજે ગૃહપ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો. કાશ્મીર મુદ્દે કોંગ્રેસની નીતિ જવાબદાર હોવાનું જણાવીને અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરને છોડીને આજે દેશના બીજા કોઈ રાજ્યમાં આતંકી હુમલા નથી થતા. જો પંડિત જવાહરલાલ નહેરૂ અને ઈન્દિરા ગાંધીએ કરેલ ઐતિહાસિક ભૂલ ના કારણે જ કાશ્મીરની સમસ્યા રહેલા પામી છે.

| Edited By: | Updated on: Jul 29, 2025 | 3:23 PM
1 / 7
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે, લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો પ્રારંભ કરતા, વિપક્ષે કરેલા આક્ષેપો અને પુછેલા પ્રશ્નોના આકરા જવાબ આપ્યા હતા. ભારતની આઝાદી બાદ કાશ્મીર કબજે કરવા પાકિસ્તાને તેના સૈનિકોને કબાઈલીને વેશમાં કાશ્મીરમાં લડવા મોકલ્યા હતા. ભારતીય સૈન્ય પણ કબાઈલીઓના વેશમાં પચાવી પાડેલા પ્રદેશ પાછો મેળવવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ તે વખતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ એક તરફી યુદ્ધ વિરામ જાહેર કરતા, ભારતીય સૈન્ય પાકિસ્તાને પચાવી પાડેલ કાશ્મીરને પાછુ ના લઈ શક્યા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે, લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો પ્રારંભ કરતા, વિપક્ષે કરેલા આક્ષેપો અને પુછેલા પ્રશ્નોના આકરા જવાબ આપ્યા હતા. ભારતની આઝાદી બાદ કાશ્મીર કબજે કરવા પાકિસ્તાને તેના સૈનિકોને કબાઈલીને વેશમાં કાશ્મીરમાં લડવા મોકલ્યા હતા. ભારતીય સૈન્ય પણ કબાઈલીઓના વેશમાં પચાવી પાડેલા પ્રદેશ પાછો મેળવવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ તે વખતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ એક તરફી યુદ્ધ વિરામ જાહેર કરતા, ભારતીય સૈન્ય પાકિસ્તાને પચાવી પાડેલ કાશ્મીરને પાછુ ના લઈ શક્યા.

2 / 7
અમિત શાહે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટૂકડા કર્યા તેના સંસદમાં વખાણ કર્યા હતા. પરંતુ તેની સાથે ઈન્દિરા ગાંધીના સમયે થયેલ એક ગંભીર ભૂલ તરફ અંગુલીનિર્દેશ કર્યો હતો. જો સિમલા કરાર વખતે, પાકિસ્તાનના બાન બનાવેલા સૈનિકો, જિતેલો પ્રદેશ પાછો સોંપતા સમયે પાકિસ્તાન હસ્તક કાશ્મીર માગ્યું નહોતુ. જો પાકિસ્તાન હસ્તકનુ કાશ્મીર માંગી લીધુ હોત તો આજે કોઈ સમસ્યા જ ના હોત.

અમિત શાહે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટૂકડા કર્યા તેના સંસદમાં વખાણ કર્યા હતા. પરંતુ તેની સાથે ઈન્દિરા ગાંધીના સમયે થયેલ એક ગંભીર ભૂલ તરફ અંગુલીનિર્દેશ કર્યો હતો. જો સિમલા કરાર વખતે, પાકિસ્તાનના બાન બનાવેલા સૈનિકો, જિતેલો પ્રદેશ પાછો સોંપતા સમયે પાકિસ્તાન હસ્તક કાશ્મીર માગ્યું નહોતુ. જો પાકિસ્તાન હસ્તકનુ કાશ્મીર માંગી લીધુ હોત તો આજે કોઈ સમસ્યા જ ના હોત.

3 / 7
અમિત શાહે 2014 પહેલા અને 2014 પછીની કોંગ્રેસ અને ભાજપની નરેન્દ્ર મોદી સરકારની તુલના કરી હતી. લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસના સત્તાકાળમાં દેશના વિભિન્ન રાજ્યોમાં આતંકી હુમલાઓ થતા રહ્યાં. 2014 પછી નરેન્દ્ર મોદી સરકારના સત્તાકાળમાં માત્ર જમ્મુ કાશ્મીરમાં જ આતંકી હુમલાઓ થયા છે. દેશમાં બીજે ક્યાય થયા નથી.

અમિત શાહે 2014 પહેલા અને 2014 પછીની કોંગ્રેસ અને ભાજપની નરેન્દ્ર મોદી સરકારની તુલના કરી હતી. લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસના સત્તાકાળમાં દેશના વિભિન્ન રાજ્યોમાં આતંકી હુમલાઓ થતા રહ્યાં. 2014 પછી નરેન્દ્ર મોદી સરકારના સત્તાકાળમાં માત્ર જમ્મુ કાશ્મીરમાં જ આતંકી હુમલાઓ થયા છે. દેશમાં બીજે ક્યાય થયા નથી.

4 / 7
અમિત શાહે, સંસદમાં કોંગ્રેસના સત્તાકાળ અને ભાજપના સત્તાકાળ દરમિયાન કાશ્મીરને લઈને પણ તુલના કરી હતી. અમિત શાહે કહ્યું કે, હવે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા કરવા માટે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરના યુવાનો નથી મળતા પાકિસ્તાનના યુવાઓને ભરમાવીને હુમલા કરવા જમ્મુ કાશ્મીર મોકલે છે.

અમિત શાહે, સંસદમાં કોંગ્રેસના સત્તાકાળ અને ભાજપના સત્તાકાળ દરમિયાન કાશ્મીરને લઈને પણ તુલના કરી હતી. અમિત શાહે કહ્યું કે, હવે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા કરવા માટે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરના યુવાનો નથી મળતા પાકિસ્તાનના યુવાઓને ભરમાવીને હુમલા કરવા જમ્મુ કાશ્મીર મોકલે છે.

5 / 7
કાશ્મીરમાં આંતકવાદને સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપતી સંસ્થાઓને એક પછી એક બંધ કરી દેવાઈ. તેના વડાઓને જેલમાં ધકેલવામા આવ્યા. આમા હુરિયત કોન્ફરન્સ પણ સામેલ છે અને જમાતે ઈસ્લામ પણ સામેલ છે. કોંગ્રસના સત્તાકાળમાં આવી સંસ્થાના વડાઓને રેડકાર્પેટ સ્વાગત કરાતુ હતું. તેમના આકાઓ સાથે સરકાર વાટાઘાટો કરતી હતી. ભાજપની મોદી સરકાર જમ્મુ કાશ્મીરના યુવાઓ સાથે વાત કરશે.

કાશ્મીરમાં આંતકવાદને સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપતી સંસ્થાઓને એક પછી એક બંધ કરી દેવાઈ. તેના વડાઓને જેલમાં ધકેલવામા આવ્યા. આમા હુરિયત કોન્ફરન્સ પણ સામેલ છે અને જમાતે ઈસ્લામ પણ સામેલ છે. કોંગ્રસના સત્તાકાળમાં આવી સંસ્થાના વડાઓને રેડકાર્પેટ સ્વાગત કરાતુ હતું. તેમના આકાઓ સાથે સરકાર વાટાઘાટો કરતી હતી. ભાજપની મોદી સરકાર જમ્મુ કાશ્મીરના યુવાઓ સાથે વાત કરશે.

6 / 7
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનમાં કરેલ હવાઈ હુમલાઓમાં માર્યા ગયેલ આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાન આર્મી, પાકિસ્તાન સરકારના અધિકારીઓ, પાકિસ્તાનની આઈએસઆઈના અધિકારીઓ, પાકિસ્તાન પોલીસના અધિકારીઓ વગેરે સામેલ હતા. જેણે સાબિત કર્યું છે કે, પાકિસ્તાન સરકાર પ્રેરિત આતંક છે. જેના છાવરવા માટે સરકારીસ્તરે કાર્ય થયુ હતું.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનમાં કરેલ હવાઈ હુમલાઓમાં માર્યા ગયેલ આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાન આર્મી, પાકિસ્તાન સરકારના અધિકારીઓ, પાકિસ્તાનની આઈએસઆઈના અધિકારીઓ, પાકિસ્તાન પોલીસના અધિકારીઓ વગેરે સામેલ હતા. જેણે સાબિત કર્યું છે કે, પાકિસ્તાન સરકાર પ્રેરિત આતંક છે. જેના છાવરવા માટે સરકારીસ્તરે કાર્ય થયુ હતું.

7 / 7
યુનોની સુરક્ષા સમિતીમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે અમેરિકાએ પત્ર લખીને ટેકો આપ્યો હતો. પરંતુ પંડિત નહેરૂએ એ પત્રના જવાબમાં યુનોની સુરક્ષા સમિતીમાં ભારતના સભ્યપદને કારણે મહાન ચીન નારાજ થશે તેથી સભ્યપદ નથી જોઈતુ તેમ લખીને જણાવ્યું હોવાનો ઘટસ્ફોટ અમિત શાહે સંસદમાં કર્યો હતો. સાથેસાથ જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદી યુનોની સુરક્ષા સમિતીમાં કાયમી સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યાં હોવાનુ પણ જણાવ્યું હતું.

યુનોની સુરક્ષા સમિતીમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે અમેરિકાએ પત્ર લખીને ટેકો આપ્યો હતો. પરંતુ પંડિત નહેરૂએ એ પત્રના જવાબમાં યુનોની સુરક્ષા સમિતીમાં ભારતના સભ્યપદને કારણે મહાન ચીન નારાજ થશે તેથી સભ્યપદ નથી જોઈતુ તેમ લખીને જણાવ્યું હોવાનો ઘટસ્ફોટ અમિત શાહે સંસદમાં કર્યો હતો. સાથેસાથ જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદી યુનોની સુરક્ષા સમિતીમાં કાયમી સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યાં હોવાનુ પણ જણાવ્યું હતું.