jammu Kashmir: રાહુલ ભટ્ટની હત્યા પર ખીણમાં ઉકળતો ચરૂ, સુરક્ષા દળોએ ઘટનામાં સામેલ લશ્કરના ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીર (jammu kashmir)ના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદી(Encounter)ઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે.
jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના બેરાર અરગામ વિસ્તારમાં શુક્રવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. વાસ્તવમાં કાશ્મીરી પંડિત(Kashmiri Pandit) સમુદાયમાંથી આવતા સરકારી કર્મચારી રાહુલ ભટની (Rahul Bhat) બડગામમાં આ ત્રણ આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદથી આતંકીઓ ફરાર હતા. આ પછી પોલીસને બાંદીપોરામાં આ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સેના અને પોલીસની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આતંકીઓને ચારેય બાજુથી ઘેરી લીધા. તે જ સમયે, આતંકવાદીઓએ સુરક્ષા દળોને જોઈને ગોળીબાર શરૂ કર્યો, જે પછી જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.
પોલીસે જણાવ્યું કે બાંદીપોરામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના રહેવાસી હતા. આ આતંકવાદીઓ તાજેતરમાં જ સરહદ પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરીને અહીં પહોંચ્યા હતા. સુરક્ષા દળોને બેરાર અરગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી પોલીસ અને સેનાના જવાનોએ તત્પરતા દાખવતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષા દળો દ્વારા ઘેરાયેલા હોવાની માહિતી મળતા જ આતંકવાદીઓ ગભરાઈ ગયા અને તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી, જેમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા.
જમ્મુમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
રાહુલ ભટ્ટને ગુરુવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા શહેરમાં તહસીલ ઓફિસમાં ઘૂસ્યા બાદ આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. ભટ્ટને 2010-11માં સ્થળાંતર કરનારાઓ માટેના વિશેષ આયોજન પેકેજ હેઠળ કારકુન તરીકે સરકારી નોકરી મળી હતી. ભટ્ટની હત્યાના વિરોધમાં કાશ્મીરી પંડિત સમુદાયના સભ્યોએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું હતું. શુક્રવારે જમ્મુમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના ભાઈ સનીએ બંટલાબ સ્મશાનગૃહમાં રાહુલ ભટ્ટની ચિતા પ્રગટાવી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર પરિવારના સભ્યોને મળ્યા
બીજી તરફ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારી રાહુલ ભટ્ટના પરિવારના સભ્યોને મળ્યા અને તેમને ન્યાયનું આશ્વાસન આપ્યું. સિન્હાએ કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને આ ઘૃણાસ્પદ કૃત્યની ભારે કિંમત ચૂકવવી પડશે. તેણે ટ્વીટ કર્યું, ‘રાહુલ ભટ્ટના પરિવારને મળ્યો અને પરિવારને ન્યાયની ખાતરી આપી. દુ:ખની આ ઘડીમાં સરકાર રાહુલ ભટના પરિવારની સાથે છે.