Jammu Kashmir: મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે જમ્મુ -કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સોપોર વિસ્તારમાં પેથસીરમાં આતંકવાદીઓ ઉપસ્થિત હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવાર 23મી ઓગસ્ટની મોડી રાત્રે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
સુરક્ષાદળોએ આતંકવાદીઓ છુપાયા હોવાના સંભવિત સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર ગોળીબાર કરતા સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચોકીઓ ઉપર ફાયરિંગ કર્યુ હતુ.
An encounter has started in Sopore. Police and security forces are undertaking the operation. Details awaited: Jammu & Kashmir Police
— ANI (@ANI) August 23, 2021
જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે મંગળવાર 24મી ઓગસ્ટની વહેલી સવારે ત્રાસવાદીઓએ સુરક્ષા દળોની ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે સુરક્ષાદળોએ સામે ગોળીબાર કરીને પ્રત્યુતર આપ્યો છે.
સોમવાર 23મી ઓગસ્ટની સાંજે શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં સીઆરપીએફના બંકર પર આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં એક સીઆરપીએફ (CRPF) જવાન ઘાયલ થયો હોવાનુ સીઆરપીએફએ જણાવ્યુ હતુ.
શ્રીનગર શહેરમાં જ એક અન્ય ઘટનામાં સોમવારે 23મી ઓગસ્ટના રોજ પોલીસે બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતા છે, ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ જેમાં બે આતંકીઓને ઠાર મરાયા છે.