અમરનાથની પવિત્ર ગુફા પાસે બુધવારે વાદળ ફાટ્યુ હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, વાદળ ફાટવાને કારણે અમરનાથની પવિત્ર ગુફા નજીક બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF ) ના કેમ્પને ભારે નુકસાન થયુ છે. જો કે હજુ સુધી વાદળ ફાટવાને કારણે જાનમાલને નુકસાન થયાના અહેલાવ સામે આવ્યા નથી. અમરનાથની પવિત્ર ગુફા પાસે વાદળ એવા સમયે ફાટ્યુ હતુ કે જ્યારે ગુફા પાસે કોઈ શ્રધ્ધાળુઓ નહોતા.
#WATCH Cloudburst hits near the Amarnath cave in #JammuAndKashmir ; No loss of life reported
Two SDRF teams are present at the cave; One additional team of SDRF deputed from Ganderbal
(Video source: Disaster Management Authority, J&K) #TV9News pic.twitter.com/wI3QQK7Bhx
— tv9gujarati (@tv9gujarati) July 28, 2021
એક અધિકારીના જણાવ્યાનુસાર, અમરનાથની પવિત્ર ગુફા નજીક ફાટેલા વાદળને કારણે કોઈ નુકસાન થયુ નથી કે નથી કોઈને ઈજા પહોચી. તેમણે કહ્યુ કે, પહેલેથી જ અમરનાથની પવિત્ર ગુફા નજીક એસડીઆરએફની (SDRF) બે ટીમ તહેનાત હતી. અને વધુ એક ટીમને ગંદરબલથી અમરનાથ તરફ રવાના કરી દેવાઈ છે. આ વર્ષે કોરોનાને કારણે અમરનાથની યાત્રા સ્થગિત કરવામા આવી હતી જેના કારણે ગુફા પાસે કોઈ યાત્રિકો નહોતા. માત્ર અમરનાથ શ્રાઈન બોર્ડના કર્મચારીઓ અને સુરક્ષાદળના જવાનો જ અમરનાથ ગુફાની આસપાસ તહેનાત હતા.
આ વર્ષે 28 જૂનથી 22 ઓગષ્ટ સુધી અમરનાથની યાત્રા શરૂ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે સતત બીજા વર્ષે અમરનાથની યાત્રા સ્થગિત કરી દેવાઈ હતી. બાબા અમરનાથની પવિત્ર ગુફા પહલગામથી 46 કિલોમીટર દૂર છે જ્યારે બાલતાલથી 14 કિલોમીટર દૂર છે. અમરનાથની ગુફામાં દર વર્ષે કુદરતી રીતે બરફનું શિવલીંગ આકાર પામે છે. ભોગોલિક કારણોસર અમરનાથની ગુફા પાસે અવારનવાર હવામાનમાં ફેરફાર થતા રહે છે. ઊચાઈ ઉપર આવેલ હોવાને કારણે અમરનાથમાં હવામાં ઓક્સિજન પ્રમાણ ઓછુ હોય છે. અમરનાથની યાત્રા પર્વતીય વિસ્તાર ભૂસ્ખલન અને વરસાદનુ જોખમ અવારનાવર આવતુ રહે છે.
Published On - 7:30 pm, Wed, 28 July 21