Jammu-Kashmir: ટાર્ગેટ કિલિંગ વચ્ચે 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલી, તમામને ખીણમાં જિલ્લા મુખ્યાલયમાં મોકલવામાં આવ્યા

|

Jun 04, 2022 | 1:13 PM

કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગ(Target Killing)ના વધારા વચ્ચે, સરકારે શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત (Kashmiri Pandit) શિક્ષકોની બદલી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં લઘુમતી લોકો પર હુમલા વધી ગયા છે.

Jammu-Kashmir: ટાર્ગેટ કિલિંગ વચ્ચે 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલી, તમામને ખીણમાં જિલ્લા મુખ્યાલયમાં મોકલવામાં આવ્યા
Jammu-Kashmir (File Photo)

Follow us on

Jammu-Kashmir: જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)માં, કેટલાક સમયથી બિન-મુસ્લિમ સમાજના લોકો, ખાસ કરીને હિંદુઓ, વિરુદ્ધ ટાર્ગેટ કિલિંગ (Target Killing) દ્વારા એક પછી એક વધતી જતી ઘટનાઓ વચ્ચે, રાજધાની શ્રીનગર(Srinagar)ના વિવિધ વિસ્તારોમાં પોસ્ટ કરવામાં આવેલા 177 શિક્ષકોની શ્રીનગર મુખ્યાલયમાં બદલી કરવામાં આવી છે. આ તમામ શિક્ષકો કાશ્મીરી પંડિત(Kashmiri Pandit) છે અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની જિલ્લા મુખ્યાલયમાં બદલી કરવામાં આવી છે અથવા ગોઠવણો કરવામાં આવી છે. જમ્મુમાં અત્યારે પણ હિંદુઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 

કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગના વધારા વચ્ચે, સરકારે શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલી કરી છે. આ લોકોએ સલામત સ્થળે સ્થળાંતર કરવાની માંગ કરી હતી. 

સતત હુમલાઓ વચ્ચે ગૃહપ્રધાને સુરક્ષાનો તાગ મેળવ્યો 

કાશ્મીરી પંડિત સમુદાય અને સ્થળાંતરિત કામદારોને નિશાન બનાવીને વારંવાર થતા હુમલાઓને પગલે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકના એક દિવસ બાદ સરકારનું આ પગલું આવ્યું છે. કાશ્મીરી પંડિતો, જેમને 2012 માં વડા પ્રધાનના પેકેજના ભાગ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા, રાહુલ ભટની હત્યા પછીથી સતત વિરોધ કરી રહ્યા છે, સામૂહિક હિજરતની ધમકી આપી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા ખાતે 12 મેના રોજ ભટની તેમની જ ઓફિસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભટની હત્યાના પગલે, લગભગ 6,000 કર્મચારીઓએ અનેક સ્થળોએ પ્રદર્શન કર્યું હતું, તેમને ઘાટીમાંથી હાંકી કાઢવાની માંગણી કરી હતી. 

કાશ્મીરી પંડિતોની સુરક્ષા અંગે ચર્ચા

આ પહેલા શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઘાટીમાં રહેતા કાશ્મીરી પંડિતોની સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. શાહે કેન્દ્રશાસિત પ્રદેશમાં વર્તમાન પરિસ્થિતિનો હિસાબ લીધો. કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા દ્વારા પસંદગીની શ્રેણીબદ્ધ હત્યાઓને પગલે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. મૃતકોમાં બિન-મુસ્લિમ, સુરક્ષા કર્મચારીઓ, એક કલાકાર અને સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે.

 રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આર્મી ચીફ મનોજ પાંડે અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આ બેઠકમાં ભાગ લેનારા અગ્રણી લોકોમાં સામેલ હતા. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહ પ્રધાન શાહે ઘાટીમાં રહેતા કાશ્મીરી પંડિતોની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને જમ્મુ અને કાશ્મીરની સમગ્ર સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાનો વિષય પણ ચર્ચામાં આવ્યો હતો.

Published On - 1:13 pm, Sat, 4 June 22

Next Article