Jammu Kahsmir: શોપિયાંમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ, સુરક્ષા દળોએ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઘેરી લીધા

ભારતીય સુરક્ષા દળોને બાતમી મળી હતી કે શોપિયાના ચેક નોઉગામ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે.

Jammu Kahsmir: શોપિયાંમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ, સુરક્ષા દળોએ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઘેરી લીધા
Blast at Slathia Chowk in Udhampur (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 11:12 PM

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) ના શોપિયાના ચેક નૌગામ વિસ્તારમાં આતંકવાદી (Terrorist) ઓ સાથે સુરક્ષા દળો (Security Forces) નું એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. તે જ સમયે, ભારતીય સુરક્ષા દળોએ આ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઘેરી લીધા છે. એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને વિસ્તારના લોકોને ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

ભારતીય સુરક્ષા દળોને બાતમી મળી હતી કે શોપિયાના ચેક નોઉગામ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. બાતમીના આધારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી સુરક્ષાદળોએ પણ ગોળીબાર કરવો પડ્યો હતો. અત્યાર સુધી મળતી માહિતી મુજબ બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે

તમને જણાવી દઈએ કે ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. તે જ મહિનામાં, 16 જાન્યુઆરીએ, આતંકવાદીઓએ જૂના શ્રીનગર શહેરમાં સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક નાગરિક ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ સરાફ કદલ વિસ્તારમાં તૈનાત પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર ગ્રેનેડ ફેંક્યો હતો.

મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અનેક સ્તરે અભિયાન ચાલી રહ્યું છે. આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્કને નષ્ટ કરવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. NIA, ED, CBI, સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ ગ્રાઉન્ડ નેટવર્કને તોડી પાડવા અને નાણાકીય સ્ત્રોતો, હવાલા ફંડિંગ સામેની કાર્યવાહીમાં સામેલ છે.

આ પણ વાંચો: Jammu Kahsmir: શોપિયાંમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ, સુરક્ષા દળોએ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઘેરી લીધા

આ પણ વાંચો: Corona: સંશોધનમાં ખુલાસો, ત્વચા પર 21 કલાક તો પ્લાસ્ટીકની સપાટી પર 8 દિવસ સુધી ટકી શકે છે ઓમીક્રોન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">