જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકીઓએ એક યુવકને ગોળીએ વિંધી નાખ્યો

|

Dec 22, 2021 | 8:13 PM

Jammu and Kashmir આગલા દિવસે પણ શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર તૈનાત સુરક્ષાદળો અને વાહનમાં સવાર આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકીઓએ એક યુવકને ગોળીએ વિંધી નાખ્યો
Security forces deployed in Jammu and Kashmir. (Symbolic image)

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓ (Terrorist) તેમના કૃત્યોને અટકાવી નથી રહ્યાં. બુધવારે શ્રીનગર (Srinagar) શહેરના ઇદગાહ વિસ્તારમાં (Idgah area) આતંકવાદીઓએ એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે જ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. દરેક મુલાકાતી પર નજર રાખવામાં આવી રહી છે.

આગલા દિવસે પણ શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર તૈનાત સુરક્ષાદળો અને વાહનમાં સવાર આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના સાંજે લગભગ 6.45 વાગ્યે બની જ્યારે સુરક્ષા દળોની ટીમે એક કારને સૌરા વિસ્તારમાં ચેકપોસ્ટ પાસે રોકવા કહ્યું. ડ્રાઈવરે સુરક્ષા દળોના સંકેતને અવગણીને વાહન રોક્યું ન હતું અને આતંકવાદીઓએ તેમાંથી ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ આતંકીઓના ગોળીબારનો જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સુરક્ષા દળોએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્યોના બે સહયોગીની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ઉમર રમઝાન અને જાવેદ અહેમદ મલ્લા તરીકે કરવામાં આવી છે. તેમની પાસેથી દારૂગોળો સહિતની શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓના સહયોગીઓ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરના સંપર્કમાં હતા અને તેઓ શસ્ત્રો અને દારૂગોળો સપ્લાય કરતા હતા.

અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓના એક સાથીદારની ધરપકડ
રવિવારે અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓના એક સાથીદારની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. અનંતનાગ પોલીસ અને રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ ગ્રેટબલ કોઈમોહ કુલગામના રહેવાસી આતંકવાદીઓના સહયોગી ફિરોઝ અહેમદ ઝરગર ઉર્ફે કામરાનની ધરપકડ કરી હતી, એમ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું. સુરક્ષા દળોએ તેના કબજામાંથી એક ચાઈનીઝ પિસ્તોલ, મેગેઝીન અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ

Godrej નો આ શેર રોકાણકારોને સારો લાભ અપાવશે તેવું બ્રોકરેજ હાઉસનું અનુમાન, 25 ટકા સુધી રિટર્નનો અંદાજ

આ પણ વાંચોઃ

અધિકારીએ મેરેજ સર્ટી આપવા બદલ માંગ્યા 10 હજાર, NRI મહિલાને 9 લાખનો ખર્ચ કરી 3 વાર આવવું પડ્યુ ભારત

Published On - 7:03 pm, Wed, 22 December 21

Next Article