Jammu and Kashmir માં સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદીઓએ ફરી એકવાર વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. આજે શ્રીનગરની એક ઈદગાહમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી વિસ્ફોટ કર્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સાથે હુમલાખોરોએ પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે 15 ઓગસ્ટ પહેલા આતંકવાદીઓએ કાશ્મીરમાં હુમલા કર્યા હોય અને દેશનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કર્યો હોય.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. એજન્સીએ શ્રીનગર પોલીસને ટાંકીને કહ્યું, “આ હુમલો આતંકવાદીઓ દ્વારા અલી જાન રોડ, ઇદગાહ પર સુરક્ષા દળો તરફ ફેંકવામાં આવેલ ગ્રેનેડ હતો. જેમાં સીઆરપીએફના એક જવાનને સામાન્ય ઈજા થઈ છે. ગુનેગારોને પકડવા માટે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.”
Jammu and Kashmir | One grenade was lobbed by terrorist(s) towards security forces on Ali jan road, Eidgah. This caused minor splinter injuries to one CRPF personnel. Cordon and Search operations have been launched to nab culprit(s): Srinagar Police
— ANI (@ANI) August 13, 2022
આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલામાં સેનાના ચાર જવાન શહીદ
આ ગ્રેનેડ હુમલો રાજૌરી આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલાના બે દિવસ બાદ થયો હતો જેમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા. જો કે બાદમાં જવાનોએ બંને આતંકીઓને ઠાર કર્યા હતા. શુક્રવારે અનંતનાગ જિલ્લામાં આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસ અને સીઆરપીએફના જવાનો બિજભેરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા હતા. ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી, સુરક્ષાકર્મીઓએ વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમની શોધ ચાલુ છે.
ગ્રેનેડ હુમલામાં બિહારના એક મજૂરનું મોત, બે ઘાયલ
એટલું જ નહીં, શુક્રવારે વધુ એક આતંકી હુમલામાં બિહારના એક મજૂરનું મોત થયું હતું. આતંકવાદીઓએ પુલવામાના ગદૂરા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં બે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. ઘાયલોની ઓળખ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ તરીકે થઈ છે, જેઓ બિહારના રામપુરના રહેવાસી છે. બંનેની હાલત સ્થિર છે.
Published On - 7:55 pm, Sat, 13 August 22