AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો માર્ગ મોકળો, SC એ સીમાંકનને પડકારતી અરજી ફગાવી દીધી

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સીમાંકન અને વિધાનસભા બેઠકોના ફેરફારની પ્રક્રિયાને યથાવત રાખી છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો માર્ગ મોકળો, SC એ સીમાંકનને પડકારતી અરજી ફગાવી દીધી
Supreme CourtImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 12:21 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં નવા સીમાંકન હેઠળ વિધાનસભાની ચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સીમાંકન અને વિધાનસભા બેઠકોના ફેરફારની પ્રક્રિયાને યથાવત રાખી છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. બેન્ચે કહ્યું કે કેન્દ્ર સરકારને સીમાંકન આયોગ બનાવવાનો અધિકાર છે. આ મામલે કેન્દ્ર સરકારે પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કર્યો છે.

શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ અયુબ મટ્ટુની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સીમાંકનમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને ચૂંટણી પંચે આ દલીલને ખોટી ગણાવી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સીમાંકનમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને ચૂંટણી પંચે આ દલીલને ખોટી ગણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 13 મે 2022ના રોજ અરજી પર સુનાવણી કરતા નોટિસ જાહેર કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સુનાવણી સીમાંકન પર જ થશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સંબંધિત મુદ્દા પર વિચાર કરવામાં આવશે નહીં. 1 ડિસેમ્બર 2022ના રોજ ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને અભય એસ ઓકાની બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

અરજદારે આ દલીલ કરી હતી

સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે દલીલ કરી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા બેઠકોના ​​સીમાંકન માટે કમિશનનું બંધારણ બંધારણીય જોગવાઈઓ અનુસાર યોગ્ય નથી. સીમાંકનમાં વિધાનસભા ક્ષેત્રોની સીમા બદલવામાં આવી છે. તેમાં નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટોની સંખ્યા 107 થી વધારીને 114 કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની 24 સીટોનો સમાવેશ થાય છે. આ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમની કલમ 63 મુજબ નથી, કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને ચૂંટણી પંચે આ દલીલને ખોટી ગણાવી હતી.

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">